Mysamachar.in-જામનગર:
જામનગર સીટી એ ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલ એક મકાનમાંથી સોનાના દાગીના સહિતની લાખોની ઘરફોડ ચોરીની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઇ હતી અને આ ગુન્હામાં સંડોવાયેલા ઇસમો સુધી પહોચવા કામે લાગી હતી દરમિયાન પોલીસ ઇન્સ્પેકટર એમ.જે.જલુ અને સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે ચોરી કરેલ સોનાના દાગીના સાથે ચાંદીબજાર સોનીબજાર બગદાવાળી શેરીમાં સોનાની દુકાન પાસે કેટલાક શંકાસ્પદ ઈસમો આટા ફેરા મારે છે. જે ઇસમોનું વર્ણન બાતમીદારો પાસેથી મળતા સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ વોચમાં હતા દરમિયાન આરોપીઓ મોહમદ રફીકભાઇ દુધવાલા ધંધો, વેપાર રહે. રંગુનવાલા હોસ્પીટલની બાજુમાં ખેડુન એપાર્ટમેન્ટ બીજા માળે જામનગર તથા ઇકામુદિન મહમદઓશમાણ સરગઠ જાતે દરવાન ધંધો. મજુરી રહે. લુહારસાર ચાર રસ્તા ન્યુ બહાર પાન ઉપર ઇશુફી મંજીલના ત્રીજા માળે જામનગરવાળાઓ મળી આવેલ હોય બન્નેની અંગઝડતીમાંથી..
એક સોનાનો સરવાળો પેન્ડલ વાળો સેટ, સોનાના કાળા મોતીના સરવાળા મંગળસૂત્ર નંગ-2, સોનાના પાટલા નંગ-2, સોનાની વીટી નંગ-2, સોનાના પેન્ડલ નંગ-3, કાનના અલગ અલગ પ્રકરના બુટીયા છ જોડી, એક સોનાનો ચેઇન આમ કુલ મળી આશરે 15 તોલા સોના દાગીના જેની કુલ કિ.રૂ-6,65,000/-તથા રોકડા રૂપીયા 75000 મળીકુલ કિ.રૂ-7,40,000 મળી આવતા સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીના ગુન્હાના મુદામાલ તરીકે કબ્જે કરી ઘરફોડ ચોરીનો વણ શોધાયેલ ગુનો ડીટેક્ટ કરેલ છે.આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એમ.જે.જલુ તથા પીએસઆઈ એમ.વી.મોઢવાડીયાની રાહબરી હેઠળ સીટી એ ડીવીઝન સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.