Mysamachar.in:જામનગર
જામનગર જીલ્લાના કાલાવડના ખાનકોટડા ગામે એમ.પી.થી આવી અને સ્થાનિક સાથે ખેતમજુરી ભાગમાં રાખી કામ કરતા પરપ્રાંતીય દંપતીએ કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા આત્મહત્યા પાછળ કારણ શું તે જાણવા પોલીસે તપાસ શરુ કરી છે, જાહેર થયેલ વિગતો એવી છે કે કાલાવડના ખાન કોટડા ગામે મૂળ મધ્યપ્રદેશના રામબાઇ કૈલાશ કનેશ અને તેનો પતિ કૈલાશભાઇ પ્રતાપભાઇ કનેશ ખાનકોટડા ગામની સીમમા બાબુભાઇ નાનજીભાઇ ગલાણીની વાડીએ કોઇપણ કારણોસર પોતે ભાગમા રાખેલ બાબુભાઇ નાનજીભાઇ પટેલની વાડીમા રહેલ ઓરડીના પાઇપમા રામબાઈએ ચુંદડી વડે ગળાફાંસો ખાઇ વાળો અને તે જ ઓરડીમા કૈલાશ ક્નેશએ ખાટલા પર કોઇપણ કારણસર ગળાફાસો ખાઇ ગયેલ હાલતમા મળી આવતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.