Mysamachar.in-જામનગર
રેલ્વે વિભાગમાંથી મળી રહેલ માહિતી પ્રમાણે આજે રાજકોટ થી માલવાહક ટ્રેઈન હાપા તરફ જઈ રહી હતી ત્યારે હાપા અને અલીયાબાડા વચ્ચે માલવાહક ટ્રેઇનનો એક ડબ્બો ટ્રેક પરથી ઉતરી ગયો હતો, માલવાહક ટ્રેઇનમાં મેઇન્ટનન્સ કામ માટે રવાના કરવામાં હતી, જે દરમિયાન સવારે છ વાગ્યા આસપાસ આ ઘટના બની હોવાનું સામે આવે છે, ઘટના બાદ દસ વાગ્યે ડબ્બાને ફરી ટ્રેક પર ચડાવાયો હતો જયારે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટાનુકશાનના સમાચાર નથી.