Mysamachar.in-જામનગર
જે રીતે હવામાન વિભાગ તરફથી ચેતવણીઓ અને બુલેટીન મળી રહ્યા છે, તેને પગલે દરિયાઈ પટ્ટી ધરાવતો જામનગર જીલ્લાનું વહીવટીતંત્ર પણ કલેકટર ડો.સૌરભ પારધીના સીધા માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ સાબદું છે, અને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતા સૂચનો અને વરસાદની દરેક મુમેન્ટ પર નજર રાખી નીચાણવાળા વિસ્તારોને સમયાંતરે એલર્ટ કરવામાં આવી રહ્યા છે. કલેકટર ડો.સૌરભ પારઘીના જણાવ્યાનુસાર ખરાબ હવામાનને પગલે દરિયામાં ગયેલ માછીમારીની બોટોને પરત આવી જવા સૂચનાઓ આપી દેવામાં આવી છે અને મોટાભાગની બોટો પરત આવી ચુકી છે,
હાલ સુધી જીલ્લામાં કોઈ સ્થળે સ્થળાંતર કરવાની જરૂર પડી નથી અગર જરૂર પડે તો પણ તંત્રની ટીમો આ બાબતે તૈયાર છે, તાલુકાથી માંડીને જીલ્લા સુધીના કંટ્રોલરૂમ ચોવીસ કલાક કાર્યરત હોવા ઉપરાંત સ્થાનિક ફાયરવિભાગ સહિતની ટીમ ઉપરાંત SDRFની 2 ટીમો અને NDRF 1 ટીમ પણ જામનગર ખાતે સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.આમ જીલ્લાનું તંત્ર સંભવિત આફત સામે તૈયાર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.