Mysamachar.in-જામનગર
રાજ્ય સહિત જામનગર શહેર જીલ્લાના દર્દીઓને પણ આરોગ્ય વિષયક સુવિધાઓનો લાભ આપવા માટે સરકાર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ અને વાત્સલ્ય કાર્ડ અમલી છે, અને તેનાથી જરૂરિયાતમંદ દર્દીઓને કેટલીય સુવિધાઓ આ કાર્ડ થકી મફત મળે છે, આ મામલે સરકારે તાજેતરમાં જ કેટલીય મહત્વની જાહેરાતો કરી પણ જામનગર શહેર અને જીલ્લામાં ખાટલે મોટી ખોટ હોય તેમ આ કાર્ડને આનુસંગીક નવા કાર્ડ બનાવવા, રીન્યુ કરવાના, દાખલના ક્લેમ કરવાના લાભ આપવાના સહિતની કામગીરી છેલ્લા 18 દિવસથી જીજી હોસ્પીટના કેન્દ્ર ખાતે બંધ હોવાનું જાણવા મળે છે, જેને લઈને દર્દીઓ અને તેના સબંધીઓ જરૂરી લાભો મેળવવાથી વંચિત હોવાની વેદના સામે આવી છે,
જામનગર જીજી હોસ્પિટલ સેન્ટર પરના ડો.અખિલ મહેતા સાથે થયેલ ટેલીફોનીક વાતચીત મુજબ 1 જુનથી અહી આ કામગીરી માટે કેન્દ્ર શરુ કરવાનો GR આવ્યો હતો, અને જીજી હોસ્પિટલ ખાતે આઈડી પાસવર્ડ આપવામાં આવ્યા હતા, પણ બાયોમેટ્રિક, વેબકેમ, સોફ્ટવેર, સહિતની કામગીરીને કારણે ચાલુ ના થયું અને હાલ જામનગર શહેર અને જીલ્લા માટે માત્ર જામનગર જીજી હોસ્પિટલ ખાતે એક માત્ર હાલનું કેન્દ્ર એવું હતું જેને આઈડી પાસવર્ડ ફાળવવામાં આવ્યા હતા, પણ આ ચાલુ જ ના થતા ઘણી અરજીઓ સહિતના સુધારા પેન્ડીંગ છે,
જો કે તેનું લીસ્ટ હાલ તેવો પાસે નથી અને આ સેન્ટર ક્યારે પ્રોબ્લેમમાંથી બહાર આવીને ફરી કાર્યરત થશે તેનો સમય પણ જાણવા નથી મળ્યો આમ દર્દીઓને મુખ્યમંત્રી અમૃતમ અને વાત્સલ્ય કાર્ડ માટે છેલ્લા 18 દિવસથી જામનગરમાં હાલાકી ભોગવવી પડી રહી હોવાનું સામે આવી રહ્યું છે. આશા રાખીએ કે આ મામલે તંત્ર જરૂરી કાર્યવાહી કરી અને દર્દીઓના હિતમાં આ કામગીરી ઝડપભેર શરુ થાય તે દિશામાં આગળ કાર્યવાહી કરે.