Mysamachar.in-જામનગર
જામનગર પોલીસહેડ ક્વાર્ટરના બી-35 રૂમ નંબર 439માં રહેતા અને પંચકોશી બી ડીવીઝનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભરત માવજીભાઈ જાદવ નામના પોલીસકર્મી અને તેની પત્ની જાગૃતિબેન ભરત જાદવના મૃતદેહ તેના જ ઘરમાં થી મળી આવતા ચકચાર મચી જવા પામી છે, ગત મોડીરાત્રીના બનેલ આ ઘટનામાં પોલીસકર્મી અને તેના પત્નીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પોસ્ટમોર્ટમ રૂમ ખાતે પહોચેલા મૃતક જાગૃતિબેન ના પિતા રમેશભાઈ સિંધવે જણાવ્યું હતું કે મારી બેબીનો દિવસ દરમિયાન ફોન તો આવતો જ પરંતુ ગઈકાલે એક પણ ફોન ના આવતા અમને ચિંતા થઇ અને અમે હેડકવાર્ટર તેના ઘરે ગયા ત્યાં બેલ વગાડી પણ કાઈ જવાબ ના મળ્યો એટલે આજબાજુમાંથી પાડોશીને બોલાવીને દરવાજો તોડ્યો તો બન્ને ગળેફાંસો ખાઈ લટકતા હતા..આ આત્મહત્યાની ઘટના અંગે ડીવાયએસપી જામનગર શહેર દ્વારા વિશેષ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસ વિભાગમાં થી જાણવા મળતી વિગતો મુજબ મૃતક પોલીસકર્મી ભરત જાદવએ પોતાના વોટ્સઅપમાં ધોનીના રીટાયર્ડ બાબતે સ્ટેટ્સ મુક્યું હતું, અને પોલીસકર્મી ખુબ જ ઠંડા સ્વભાવનો હોવા સાથે નિર્વ્યસની હતા અને પોતાના કામ પ્રત્યે ખુબ જ સજાગ હતો અને પોતાની કામગીરી ને લઈને ક્યારેય બાંધછોડ કરતો નહોતો અને તેને કયા સંજોગોમાં આવું પગલું ભર્યું તે વાત તેને નજીકથી જાણનાર લોકોને પણ ગળે ઉતરતી નથી
-4 માસના બાળકે માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી
આ ઘટનામાં સૌથી કરુણ અને કાળજું કંપાવનારી બાબત હોય તો એ છે કે પોલીસમેન અને તેના પત્નીએ કરેલ આપઘાતના આ કિસ્સામાં 4 માસનું તેનું બાળક એક બચ્યું પણ તેને હજુ તો પોતાના માતા પિતાને જોયા નથી ત્યાં જ છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.