Mysamachar.in-જામનગર
જામનગર શહેરના પંચવટી સોસાયટી શરૂ સેકશન રોડ પર રહેતા 80 વર્ષીય વૃદ્ધ ત્રીભોવનભાઇ દામજીભાઇ નડીયાપરા છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ભોગ બન્યા છે, પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો પ્રમાણે ત્રિભોવનભાઈ પોતે 80 વર્ષની વયના વૃધ્ધ હોય તથા પોતે એકલા રહેતા હોય અને પોતાનો કોલસાનો હોલસેલનો ધંધો ચલાવતા હોય જેથી આ કામના આરોપી હર્ષીલ દોઢીયા એ પ્લાનીંગ કરી આરોપી સંદીપ ગજજરના નામની આર.કે.એન્ટરપ્રાઇઝ નામની પેઢી બનાવી બેંકમાં ચાલુ ખાતુ ખોલાવી જી.એસ.ટી. નંબર તથા સીમકાર્ડ મેળવી આરોપી નલીન ચૌહાણએ જુન 2020 થી ખરીદી ચાલુ કરી.
શરૂમાં તેના નાણા ચુકવી ફરિયાદી વૃદ્ધ ત્રિભોવનભાઈનો વિશ્વાસ કેળવી એક માસની શાખ મેળવી તા. 23/07/2020 થી તા. 21/08/2020 સુંધીમાં કુલ પંદર વખત ફરીયાદી પાસેથી કોલસાની ખરીદી કરી તેની સામે પંદર ચેક આપી કુલ રકમ રૂ. 27,75,655/- ની રકમના ચેક ફરીયાદીએ બેંકમાં નાખતા ફંડના હોવાને લીધે રીર્ટન થતા ફરીયાદી સાથે ત્રણેય આરોપીઓ તથા તપાસમાં ખુલે તે તમામએ ગુનાહીત કાવત્રુ રચી છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયા બાદ પીએસઆઈ કે.સી.વાઘેલા તપાસ ચાલવી રહ્યા છે.