Mysamachar.in-ગુજરાત:
છેલ્લા કેટલાંક સમયથી જામનગર સહિત સમગ્ર રાજયમાં નાની અથવા યુવા વયના લોકોના મોત કિલર હાર્ટ એટેકથી થઈ રહ્યા છે ! શુક્રવારે સૌએ જાણ્યું કે, ગુરુવારે જામનગર સહિત રાજયમાં 24 કલાકમાં 6 યુવાઓના મોત એટેકથી થયા. ત્યારબાદ આજે જાહેર થયું કે, પાછલાં 24 કલાકમાં ખંભાળિયા સહિત રાજ્યમાં 8 યુવાઓના મોત હાર્ટ એટેકથી થયા !
ખંભાળિયાના મોટાં આંબલાનો 31 વર્ષનો એક યુવાન ખાનગી કંપનીમાં ચાલુ ફરજે હાર્ટ એટેકથી મોતને ભેટયો. આ ઉપરાંત અમદાવાદમાં ગરબે ઘૂમતો 28 વર્ષનો યુવાન, ધોરાજીનો 28 વર્ષનો શ્રમિક યુવાન, રાજકોટનો બોર્ડર વિંગનો એક જવાન તથા એક યુવા બિલ્ડર, કપડવંજનો 17 વર્ષનો ગરબે ઘૂમતો કિશોર, વડોદરામાં બે મોત- 35 વર્ષનો રિક્ષાચાલક અને શંકર રાણા નામનો ગરબે ઘૂમતો યુવાન એમ કુલ 8 મોત પાછલાં 24 કલાકમાં નોંધાતા સમગ્ર રાજયમાં અરેરાટી બોલી ગઈ છે.