Mysamachar.in:જામનગર
જામનગર જિલ્લામાં આ સિઝનમાં સરસ વરસાદ નોંધાયો છે. મોટાભાગના જળાશયોમાં પાણીની ચિક્કાર આવક છે. જેને પરિણામે અમુક ડેમનાં દરવાજા ખોલવામાં આવ્યા છે. જયારે અનગેટેડ ડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે.
રાજય સરકાર હસ્તકના, ઉંડ સિંચાઈ યોજના હેઠળનાં, જિલ્લા પંચાયતના તથા જામનગર મહાનગરપાલિકાનો એક મળી કુલ 25 ડેમનુ સંચાલન જામનગર જિલ્લામાં કરવામાં આવી રહ્યું છે. આ 25 ડેમ પૈકી વીજરખી, ફોફળ-2, ઉંડ-3, આજી-4 અને બાલંભડી ડેમને બાદ કરતાં સસોઈ અને રણજિતસાગર સહિતનાં બાકીનાં 20 ડેમનાં હેઠવાસના વિસ્તારોમાં પાણી વહી રહ્યું છે. કારણ કે, આ 20 પૈકી 6 ડેમનાં દરવાજા ખોલવામાં આવ્યા છે. બાકીનાં 14 ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે. આ રિપોર્ટ તાજો છે. જે 6 ડેમનાં દરવાજા ખોલવામાં આવ્યા છે તેનાં નામો : રંગમતી, કંકાવટી, ઉંડ-1, ઉંડ-2, ફુલઝર (કોટડા બાવીસી) અને ઉમિયાસાગર.