Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
હાલ કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનમા માનવતાના ધોધ વહે એ માટેનો માહોલ બની ગયો છે, તબીબો અને પેરા મેડીકલ સ્ટાફ સૌ દર્દીઓને સાજા કરવામા કે અમુકને મોતના મુખમાંથી બહાર કાઢવા દિવસ રાત એક કરે છે, લોકો બહાર નીકળી સંક્રમિત ન થાય તે માટે પોલીસ અને હોમગાર્ડઝ ખડે પગે છે, તો વળી તમામ બાબતોનુ સંકલન કરવામા વહીવટી તંત્ર અથાગ જહેમત ઉઠાવે છે, સરકારના વિભાગો સેવાકીય સંસ્થાઓ સમર્પિતો પ્રચારથી દુર રહી મજુરો ગરીબો જરૂરિયાત મંદોને મદદ રૂપ થવા ખોરાક ચીજવસ્તુ દવા પહોંચાડી રહ્યા છે, આવી તો અનેક માનવતાના માહોલ છે, ત્યારે સૌ એ તબીબો પેરા મેડીકલ પોલીસ વહીવટીતંત્ર સેવાકરનારાઓ માટે વિશ કરવાનો તેમનો જુસ્સો વધારવાનો મોકો છે, ક્યારેક આવા સેવાભાવીઓ સૌ માટે ફરજ પર રહેલા સૌ માટે પાણીથી માંડી દરેક જરૂરી ચીજ વસ્તુ પહોંચાડી માનવતાને બંધુત્વને બુલંદી આપવાની આ તક છે તે જવા ન દેવા સમાજશાસ્રીઓ સલાહ આપે છે