Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ વિભાગની જ પહેલા તો સફાઈની જરૂર છે, પછી શહેર સફાઈ કરવામાં આવે તે જરૂરી છે, કારણ કે આ વિભાગ માટે ખરેખર તો કાર્યપાલક ઈજનેર પર્યાવરણ, નાયબ કાર્યપાલક ઈજનેર પર્યાવરણ અને જુનીયર ઈજનેર પર્યાવરણ આ ત્રણેય જગ્યાઓ ખાલી છે. અને તેની ભરતીઓ થઇ નથી ત્યારે જગ્યાઓ ખાલી હોય જેમ તેમ અન્ય વિભાગોની જેમ ગાડું ગબડાવાઈ રહ્યું છે, હાલ વિભાગનો કાર્યભાર સંભાળતા કંટ્રોલીંગ અધિકારી મુકેશ બી વરણવાની ભરતી પ્રોગ્રામર તરીકે એટલે કે ટેકનીકલ જગ્યામાં ભરતી થયેલ છે તેવો સોલીડ વેસ્ટ વિભાગના કંટ્રોલીંગ અધિકારી ફરજો હાલ અદા કરી રહ્યા છે.આ વિભાગની કેટલીય ગ્રાન્ટો પણ પરત જાય છે, વણ વપરાયેલી રહે છે. એવામાં તાજેતરમાં જ મળેલ સ્ટે.કમિટીની બેઠકમાં જે ડોર ટુ ડોર કચરો એકત્ર કરતી બે કંપનીઓને વધારાનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો જે બાબતે my samachar દ્વારા પડતાલ કરવામાં આવતા આ મામલે વધુ ને વધુ એક બાદ એક તથ્યો સામે આવી રહ્યા છે.
સ્ટેન્ડિંગ કમિટીમાં ચેર પરથી આ નિર્ણય લેવાયા બાદ આ અંગે સોલીડ વેસ્ટ વિભાગના કંટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવાને ટેલીફોનીક પૂછવામાં આવ્યું ત્યારે તેને જવાબો આપ્યા છે તે ભારે શંકા ઉપજાવનાર અને આ મામલે સત્ય શું.? તે તપાસ માગી લે તેવું છે, કારણ કે તેને પૂછ્યું કે આટલો વધારાનો ખર્ચ કેમ મંજુર કરવામાં આવ્યો તો સાહેબ પહેલા એમ કહ્યું કે જામનગર શહેરમાં પ્રોપર્ટી પહેલા 1.57 લાખ હતી અને જે બાદમાં 2.7 લાખ થઇ ગઈ એટલે ખર્ચમાં વધારો થયો… (તો ખરેખર સીમાંકન તો કરાર પૂર્વે જ થઇ ગયું હતું) પછી તેવોને પૂછવામાં આવ્યું કે શરતમાં તો લખ્યું છે કે “મહાનગરપાલિકામાં નવું સીમાંકન અસ્તિત્વમાં આવેલ છે, તે મુજબ જ કોન્ટ્રાકટરને વોર્ડ દીઠ વિસ્તારની ફાળવણી કરવામાં આવે તે રીતે કામગીરી કોન્ટ્રાકટરે કરવાની રહેશે, જેનો કોઈ વધારાનો ખર્ચ મહાનગરપાલિકા દ્વારા ચુકવવામાં આવશે નહિ.” તો વધારાનો ખર્ચ કેવી રીતે મંજુર કરી શકાય..ત્યારે સાહેબે બીજી વખત જવાબ આપતા કહ્યું કે વાહનો વધ્યા એટલે ખર્ચ વધ્યો..! હવે સાહેબ પહેલા આપે એ નક્કી કરવું પડે કે પ્રોપર્ટી વધી એટલે વધારો આપ્યો કે વાહનો વધ્યા એટલે વધારો આપ્યો…?
આપ એક જ સવાલના બે જવાબો આપી વાતોમાં ઉલજાવાનો પ્રયાસ ના કરો…કારણ કે આપના જવાબો અસ્પષ્ટ લાગે છે. અરે આપની પાસે તો શરતોની એક માત્ર કોપી છે બીજી નકલ પણ નથી રાખતા તો આવા સવાલોના જવાબો ગોળ ગોળ ફેંકી અને શું સ્પષ્ટ કરવા ઈચ્છો છો તે પહેલા નક્કી કરી લો કારણ કે શહેરની સફાઈ એ લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલ છે, અને તેના માટે કરવામાં આવતો ખર્ચ લોકોના ટેક્સ રૂપી નાણા છે.
જો કે આ વધારો ખરેખર વાજબી હોય તો તેના સ્પષ્ટ કારણો પણ શહેરીજનો સમક્ષ મુકવામાં શું તકલીફ હોય.? અને તે મુદ્દે અધિકારીએ ખુલીને વાત કરવી જોઈએ. કારણ કે જાણવા તો એવું પણ મળે છે કે સ્વચ્છ ભારત મિશનએ જે માપદંડો નક્કી કર્યા છે, તેમાં ઘર દીઠ કેટલો કચરો નીકળવો જોઈએ, અને તેનાથી વધુ કચરો ના નીકળવો જોઈએ, શહેરી વિસ્તાર અને વસ્તી મુજબ જ કચરો થવો જોઈએ તો હવે વધારાનો ખર્ચ થાય છે તે કઈ રીતે થતો હશે.? અને જો ખરેખર વધારાનો ખર્ચ હોય અને તેને યોગ્ય માનવામાં આવતો હોય તો કોઈ વાંધો નથી પરંતુ ખરેખર શહેરમાં થી ખરેખર કેટલો કચરો એકત્ર થાય છે. કાગળ પર કેટલો દર્શાવાય છે.? કે કેમ અને સ્વચ્છ ભારત મિશન હેઠળ નક્કી થયેલ માપદંડો કરતા કેમ વધારે કચરો ઉત્પન્ન થાય છે તે પણ વધુ તપાસ માગી લેતું છે.