Mysamachar.in-જામનગર:
જામનગરના બંને મેળામા મનપાના મુખ્ય પદાધિકારીઓ ની જાણ સિવાય એસ્ટેટમાં થી કોણ કળા કરી ગયુ? તે સવાલ આજે મેળાના છેલ્લા દિવસે પણ છે, માટે સુત્રોનુ માનીએ તો જવાબદાર સક્ષમ અધીકારી અને માત્ર મનપામા જ ખુરશી ઉપર બેઠેલા છે તે સિવાયના "માથા" ઓ પણ આવા વ્યવહારોમાં હોય છે, વિપક્ષના એક બે સંસ્થા સાથે સંકળાયેલ એકાદ અને કલેક્શન માટેના નિષ્ણાંત શાસક જુથના જાંબાઝ એ સૌનુ સહિયારૂ અભિયાન એટલુ સફળ રહ્યુ કે મનપાના પદાધીકારીઓએ રાજ્ય કક્ષાએ મામલો પહોંચાડવો પડ્યો પોતે સતા ઉપર છતા પાંખો કપાયેલા જેવા હા ક્યારેક પોતાની તરફેણનુ કે મળતીયાઓનુ કામ કરી ટીપે-ટીપે સરોવર કોઇક કોઇક પદાધીકારી ભરી લે એ વાત અલગ છે, પરંતુ મેળા જેવી જાહેર સેવામા કંઇ પગલા લઇ ન શક્યા કે લેવડાવી ન શક્યા કેવી કરૂણતા કેવી લાચારી… અને જેઓએ કળા કરી તેનુ બેકીંગ કેટલુ કે બધુ જ "ગોઠવાઇ" ગયુ અને ઉની આંચ ન આવી.
જોકે અમુક ચબરાકો પાસે વિગત એકઠી થઇ રહી છે, જેમાંથી વ્યવહારોની રસપ્રદ રોચક અને ચોંકાવનારી વિગત બહાર આવવાની છે, અને તે ઠોસ વિગતો જલ્દી જન હિત અને નાગરિકોની જાણ માટે જલદી બહાર લાવવા પ્રયાસ થઇ રહ્યા છે, કેમ કે બહારથી સંચાલન કરનારે ઉઠતી બજારે એક પછી એક દસ થી બાર સારા ઘા બે મહિનામા માર્યાની ચર્ચા છે, તો જાહેર દબાણના રક્ષકોનુ જુથ પણ કેવી રીતે સાંગોપાંગ બધુ પાર ઉતરી ટાઢો કોઠો કરી બેસી ગયા અને કેટલી જંગી રકમની હેરફેર થઇ હશે તેની માત્ર ચર્ચાઓ હજુ ચાલે છે, લાભ લેનાર અને લાભથી વંચિત રહેનાર બંને ટુંકાગાળામા ક્યાક તો કંઇક બફાટ કરવાના જ છે એ બફાટના સ્થળથી સુત્રો નજીક છે માટે માહિતી મળવાની આશા જાગી છે.
-પગલા લેવાનો ઠરાવ અસરકારક રહેશે?
સફાઇથી માંડી શિસ્ત અને પારદર્શી વહિવટ અંગેના અનેક ઠરાવ વખતો વખત થયા અમુક સામે પગલા લેવાના પણ ઠરાવ થયા છે, પરંતુ અમલવારી અંગે અવઢવ છે ત્યારે મેળા ૨૦૧૯ અંગેની તપાસનો ઠરાવ કારગત નિવડશે? શિક્ષાત્મક પગલા.. ગેરકાયદેસર રાઇડ.. જવાબદાર કર્મચારીઓ અધીકારીઓ.. એ શબ્દો ગોઠવાયા અને ચેર ઉપરથી આ આઇટમ લેવી પડી પરંતુ લગત લોકો તો બિન્દાસ્ત છે, અત્યારસુધી અનેક નાના મોટા દબાણ કે ગેરકાયદે બાંધકામ સામે પગલા લેવામા જેમને આંખમીચામણા કર્યા એ જ આમા સંડોવાયેલા હોય શકે તો ત્યારે ય કંઇ ન થયુ તો હવે શુ થાય ? તેવા આ લગત જવાબદારોના આત્મવિશ્ર્વાસનુ કારણ એ પણ હોય શકે કે અમુક "બાંધછોડ" સહેતુક અને કોઇ પદધારીના કહેવાથી કરતા આવ્યા હોય અને ભલામણ બે ની હોય બાકીમા પોતાની મેળે ખેલ પાડી લીધા હોય… આવી અનેક બાબતો તબક્કાવાર ઉજાગર થઇ શકે તેમ હોય આ પગલા લેવાના ઠરાવની ખાસ કંઇ અસરકારકતા રહેશે તેવી સંભાવના નથી લાગતી આજે મેળા પુરા થયે પુરાવાઓ તો આપોઆપ નાશ થશે બીજા અમુક સ્ટોલ પથારા કેબીન ત્રણ દિવસ રાખવા દઇ હટાવી દીધી આમા હવે શુ પગલા લેવાશે?