Mysamachar.in-જામનગર
વિશ્વ પર્યાવરણ દિવસ અનેક લોકો નવતર પહેલ સાથે પર્યાવરણ સંરક્ષણ માટે આગળ આવી રહ્યા છે ત્યારે અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન સાથે આયુર્વેદનું સંકલન કરી અનોખી પહેલ કરી છે. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પોતાના નિવાસસ્થાને 27 નક્ષત્રરૂપી 27 ઔષધીય વૃક્ષોનું વાવેતર કરી નક્ષત્ર વાટિકાનું નિર્માણ કર્યું છે. આ નક્ષત્ર વાટિકામાં અર્જુન, આંકડો, વાંસ, ખીજડો, કદંબ, અરડૂસી જેવા ઔષધીય 27 વૃક્ષો મંત્રીએ રોપિત કરીબ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી. આ નક્ષત્ર વાટિકાનું નિર્માણ ઉમેશભાઈ થાનકી અને હિતેન ભાઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે.