Mysamachar.in-જામનગર
જામનગર PGVCL સર્કલમા તેમજ બહાર અમુક જાણકારોમાં કટાક્ષ સાથે ચર્ચા થાય છે કે વીજ જોડાણ આપવામાં જ્યા જંગી ગેરરીતી થઇ છે તેવા જામનગર શહેરના ઉદ્યોગનગર સબડીવીઝન ની તપાસને એક તરફ ભેજ લાગી ગયો છે તેવી જરીતે ગોકુલનગર વિસ્તારની તપાસ પણ ભેજ લાગવાના વેઇટીંગમાં જ છે આ તમામ બાબતે સુપ્રીન્ટેન્ડન્ટ રાડા ની શાખ દાવ ઉપર છે તેઓ તપાસ અહેવાલ બનાવી ઉપર મોકલે છે?? ઠોસ એટલે કે કચકચાવી ને પગલા લેવાની ભલામણ વાળી દરખાસ્ત કરે છે કે શુ?? વગેરે સવાલો ઉભા થયા છે વળી જોવાની ખુબી એ છે કે જગજાહેર કૌભાંડની છાની તપાસ છાના રિપોર્ટ વગેરે થાય છે એ કેવી આશ્ચર્યની બાબત છે??
જામનગર PGVCL સર્કલના નવા અધિક્ષકે આવતા વેંત જાણે પડકારો તેમનો કેડો નહિ મુકે તેવુ લાગે છે કેમકે હાલ ચોમાસાના વીજધાંધીયા તે સિવાય જાહેર ન થયેલી અનેક આંતરિક બાબતો બીજી તરફ હજુ ઉદ્યોગનગરની ગેરરીતીની તપાસ ચાલતી હતી ત્યા ગોકુલનગર વિસ્તારમાં પણ એ જ રીતે રેસીડન્ટ ઝોનમાં ઇન્ડસ્ટ્રીયલ વીજ કનેક્શન અપાયાનુ બહાર આવ્યુ હતુ. રેસીડન્ટ ઝોન હોય તેને કોમર્શીયલ કે અન્ય ઝોન ન ગણવા તેવા અદાલતોના વખતોવખત ચુકાદાઓ ટાંકીને છેક ઉર્જા મંત્રીથી માંડી રાજકોટ કોર્પોરેટ ઓફીસ અને જામનગરની વીજ કચેરીના વડાને એક લેખીત રજુઆત કરી આ ચુકાદાઓના ઉલ્લંઘન થયા છે તેમ રજુઆતમા જણાવાયુ છે.
છતા આ બાબતને અવગણી ઉદ્યોગનગરમા રહેણાકમા ઇન્ડસ્ટ્રીઝ વીજકનેક્શન અપાયા તેવી જ રીતે ગોકુલનગરમાં બે ત્રણ જેટલી સોસાયટીઓમા ઘરોમાં ઇન્ડસ્ટ્રીયલ ભારે વોટના વીજ કનેક્શન અપાયા છે આ અને આવા જ બીજા જ્યા-જ્યા કૌભાંડ થયા તેના કારણે વીજ વિભાગને ખુબ જંગી આર્થિક નુકસાની થઇ છે માટે જ આવા કારસા અન્ય પણ અનેક જગ્યાએ શહેરમાં શહેર આજુબાજુમાં જિલ્લામાં પણ થયા જ હશે તેવી આશંકા પ્રબળ બની છે તે તમામ ની તપાસ કોઇ અરજી કરે કે નકરે ત ટસ્થ રીતે થવી જ જોઇએ અને સંડોવાયેલાઓ અમુકના તો નામો ચોમેર જાહેર થયા છે તે તમામને દોષીત ગણી સજા થવિ જોઇએ.
પરંતુ જાણકારોના મતે કોઇ બળુકાએ આ બધી તપાસ દબાવી દીધી ઉલટુ ડીપાર્ટમેન્ટને બીજી તરફ તપાસ કરવા વાળી દીધુ અને પોતે બચવા માટે દરેક માર્ગ અખત્યાર કર્યા જેથી સુપ્રિન્ટેન્ડન્ટ ઇધર જાઉ કી ઉધર જાઉ ની અસમંજસમા પડ્યા છે તેવી ચર્ચાઓ પણ આંતરિક થાય છે. અરે ભાઇ જે પહેલા ખુલ્યુ તે પહેલા પુરૂ તો કરો જે પલાળેલુ છે તેને પુરૂ મુંડો પછી બીજે અટવાજો પણ ના આ તો PGVCL એક બળુકાના જુદા-જુદા ખેલ દાવ અને કારસામા અટવાય ને મસમોટા કૌભાંડ ની તપાસ સરખી કરી નહી માત્ર કાગળ ચિતર્યા અને બીજી તરફ જવાબદાર કૌભાંડકાર સામે જે વડા છે સર્કલના તે જાણે લાચાર હોય તેવી ભૂમિકામા્ આવી જઇ ન કરવાની બીજી ચુંથણા કરવા જેવી બાબતોમા અટવાઇ ને પડી રહ્યાનુ ચર્ચાય છે સાચુ તો રાડા જ જાણે….