Mysamachar.in-જામનગર
જામનગરના શરુસેક્શન રોડ પર આવેલી રિધ્ધિ-સિધ્ધી ફાર્મ ફ્રેશ એન્ડ ફ્રૂટ નામની દુકાનના સંચાલક દ્વારા સરકાર નિયમનો ભંગ કરી ચીજવસ્તુઓનું વેચાણ કરાઈ રહ્યાની હકીકત જીલ્લા કલેક્ટર અને જીલ્લા પુરવઠા અધિકારીના રાઉન્ડ દરમિયાન જોવા મળતા તેઓએ તાકીદની અસરથી દુકાનદાર જયેશ પરમારની પૂછપરછ કરી હતી, જેમાં તેઓએ સરકાર દ્વારા ગ્રાહકો માટે દોરેલા કુંદાળા સવારે ધોઇ નાખ્યા હોવાની બાબત પ્રકાશમાં આવતા તેમની સામે નિયમભંગની કાર્યવાહી કરી અને દુકાનને સીલ કરવાનો હુકમ કર્યો હતો.,
મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા તાકીદને અસરથી આ દુકાનને સીલ કરવામાં આવી હતી અને દુકાનદાર જયેશપરમારને રૂ. 10હજાર દંડ પણ ફટકાર્યો હતો, વેપારી દ્વારા દંડ રકમ ભરપાઇ કરવામાં આવ્યા બાદ જિલ્લા કલેક્ટર નિણય કરશે કે દુકાનને કેટલા સમય માટે સીલ રાખવી તેમ ઇન્ચાર્જ ડી.એસ.ઑએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યુ હતું કલેકટર અને જામનગર મહાનગરપાલિકાની કડક કામગીરીના કારણે અન્ય દુકાનદારો નિયમો ચૂસ્તપણે અમલવારી થાય તે અંગે તકેદારી રાખતા થયા છે.