Mysamachar.in-જામનગર
આજના સમયમાં મોબાઈલ અને ટીવીમાં કેટલાય યુવાઓ તલ્લીન થઇ જાય છે, અને એક જાતનું ઘેલું લાગ્યું હોય મોબાઈલને તેવા કેટલાક દ્રશ્યો પણ સામે આવતા રહે છે, ત્યારે જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના નાના એવા ગામમાં પણ આવો જ એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે આંખ ઉઘાડનારો પણ છે, લાલપુરના નાની રાફૂદળ ગામે રહેતા જેન્તીલાલ મનજીભાઇ સોનગરાની 16 વર્ષીય પુત્રી રીધ્ધીબેનએ ગઈકાલે પોતાના ઘરે એકલી હતી ત્યારે પોતાના ઘરે રૂમની છત હુકમા સાડીનો છેડો બાંધી પોતાના હાથે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે,
આ બનાવ બાદ મૃતક રીદ્ધીના પિતા દ્વારા લાલપુર પોલીસને આ અંગે માહિતી આપતા લાલપુર પોલીસે સ્થળ પર પહોચી પરિવારજનોના નિવેદનો નોધવાની કાર્યવાહી શરુ કરી તો સામે આવ્યું કે રીધ્ધીબેન તેના મોબાઇલ ફોન પર કોલ તથા મેસેજથી કોઈ સાથે વાતચીત કરતી હતી. આ બાબતની જાણ તેના ભાઇ હીરેનને થઇ ગઈ હતી. આ બાબતની વાત તેના કાકા હીતેશને કરી હતી. અગાઉ પણ રિદ્ધિને મેસેજ અને કોલ આવતા હતા આ બાબતની પણ પરિવારના સભ્યોને ખબર પડી ગઈ હતી. જે બાદતેણીએ અંતિમ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.