Mysamachar.in-જામનગર
રાજ્ય સરકારના પોલીસ અને મહેસુલ વિભાગમા વધુ ભ્રષ્ટાચાર થાય છે તેમ સંવેદનશીલ મુખ્યમંત્રી ખુદ જાહેરમાં બોલેલા હતા. તે વખતે તેમને માર્ગમકાન સિંચાઇ પંચાયત ગ્રામ વિકાસ એજન્સી તોલમાપ પાણીપુરવઠા ક્ષારઅંકુશ ફુડ એન્ડ ડ્રગ આરોગ્ય સહિતના અનેક વિભાગના નામ યાદ ન આવ્યા હોય અથવા તો તે વિભાગોમા ભ્રષ્ટાચાર ઓછો હશે તેમ તેઓ માનતા હશે તો વળી સહકારી ક્ષેત્રના કામો બાબતે તો તેઓ હજુ સુધી કંઇ નબળુ બોલ્યા નથી પરંતુ રૂપાણી માટે તક છે એક ભ્રષ્ટાચાર રોકવાની તેમ કાલાવડના અમુક જાણકારોએ આ વેદનાઓ જણાવતી વખતે ઉમેર્યુ છે.
કાલાવડમા 50 કરોડથી વધુ રકમના ખર્ચે નવુ યાર્ડ બને છે તે હજુ કામ ચાલુ છે ત્યા યાર્ડમા બનેલી નવી દુકાનોમા તિરાડો પડી ગઇ છે માટે ચેરમેનને જાણ કરાઇ તો ચેરમેન તો જાણે આ કંઇ ગંભીર જ નથી તેમ સાવ સહજ રીતે જવાબ આપતા હતા કે તિરાડ પડી એમાં શુ ?? ઇ તો ઢાંકી દેવાયને?? એ કંઇ મોટી બાબત થોડી છે?? અને રજુઆત કરનાર દુકાનદારને નિરાશ કર્યા હતા.
ઉપરથી વળી ચેરમેનએ એમ પણ કહ્યુ છતાય તમારે જ્યા કહેવુ હોય ત્યા કહી શકો છો…..આવો જવાબ સાંભળી દુકાનદાર રીતસર આંચકો પામી ગયા હતા ત્યારે પ્રશ્ર્ન એ છે કે હજુ બાંધકામ ચાલુ છે તેમાં શેડ ગોડાઉન દુકાનો ઓફીસો ચેમ્બર પર થાળ બ્લોક થાળા ઉંચી પ્લીન્થો સહિત ઘણુ બધુ બને તે સ્વાભાવિક છે તો કામ ચાલે ત્યારે જ દેખરેખ થવી જોઇએ કેમકે પ્રજાના કરોડો રૂપિયાથી લોટ પાણી લાકડા જેવા કામ ચલાવી ન લેવાય તેના બદલે નબળા કામની જાણથી ઠંડક અનુભવતા જવાબદાર સામે શંકા એ ઉભી થાય કે તેમને કે બીજા કોઇએ આ નવા યાર્ડનુ કામ મૌજથી ગમે તેવુ કરવાની છુટ આપી પોતાના કોઠા ટાઢા તો નથી કરી લીધાને ?? તેવા સવાલ ચર્ચાતા સંભળાય છે.
જો કે ગુજરાત તો ભ્રષ્ટાચાર મુક્ત થવા તરફ ગતી કરે છે અને ભ્રષ્ટાચાર રોકવા સરકાર જાતે તેમના લગત વિભાગો સાથે સતર્ક જ છે માટે આ કામમા ભ્રષ્ટાચારનો ઉપરના લેવલે પર્દાફાશ ચોક્કસ થશે તેવી આશા અમુક ભોળા લોકો સેવે છે દરમ્યાન આ યાર્ડના નબળા કામની રજુઆત સામે જવાબદારના ઉડાઉ જવાબની ઓડીયો એ હાલ તો ભારે ચકચાર મચાવી છે.