Mysamachar.in-જામનગર
દરવર્ષ 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટના પર્વ પૂર્વે રાષ્ટ્રપતિ પોલીસમેડલ સહીત વિશિષ્ટ સેવા મેડલની જાહેરાત કરવામાં આવતી હોય છે, આજે પણ આ જાહેરાત થઇ જેમાં જામનગર પોલીસવિભાગના ગૌરવમાં વધારો થયો છે. એક પોલીસ અધિકારી જયારે અન્ય એક પોલીસકર્મચારીની સરાહના કરવામાં આવી છે. જામનગરમાં DYSP તરીકે ફરજ બજાવતા સરળ સ્વભાવ પરંતુ ગુન્હાઓનો ભેદ ઉકેલવાની આગવી સૂઝ ધરાવતા એસ.સી.એસ.ટી.સેલ DYSP જે.એસ.ચાવડા જેવોએ રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં અને મહત્વની બ્રાન્ચો અને વિભાગોમાં પોતાની ફરજ બખૂબી બજાવી છે. ખાસ તો તેણે નડિયાદ ક્રાઈમ બ્રાંચ અને મહેસાણા એસઓજીમાં લાંબા સમય સુધી ફરજ બજાવી અને ગુન્હાઓના ડીટેક્શન માટે DYSP ચાવડા 300 થી વધુ ઇનામો મેળવી ચુક્યા છે. અને આજે તેવોને રાષ્ટ્પતિ પોલીસ મેડલ મળતા તેવોએ ખુશી વ્યક્ત કરવા સાથે તેવો આવનાર સમયમાં પણ પોતાની ફરજ સુપેરે નિભાવી અને દેશ સેવા કરશે તેમ “માયસમાચાર” ને જણાવ્યું હતું.
તો જામનગર પોલીસ વિભાગને ગૌરવ અપાવનાર બીજા જ એવા પોલીસ કર્મચારી જે છેલ્લા કેટલાય સમયથી જામનગર એલસીબીમાં ફરજ બજાવે છે તે હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ પટેલ છે. ભરતભાઈ પટેલ જામનગર જીલ્લાના વિવિધ પોલીસથાણાઓમાં અને ખાસ ગણવામાં આવતી બ્રાન્ચોમાં ફરજ બજાવી ચુક્યા છે. અધિકારીઓ સાથે સુચારુ સંકલન સાધી પોતાની ફરજ નિષ્ઠાથી નિભાવનાર અને મોટાભાગે ઇન્વેસ્ટીગેશન રાઈટર તરીકેની નોકરી કરનાર ભરતભાઈ પટેલ પણ ગુન્હેગારો જેલના સળીયાથી બહાર ના આવી શકે તે માટે પાકા કાગળ કરવાના માસ્ટર હોવાનું પોલીસવિભાગમાં કહેવામાં આવે છે. અને તેવોનું સ્થાનિક લોકો સાથેનું બહોળું મિત્રવર્તુળ હોય તેવો સારી લોકચાહના પણ ધરાવે છે.ભરત પટેલે માયસમાચારને જણાવ્યું હતું કે આ મારું તો સન્માન છે પણ સાથે જ મારા સમાજ અને જામનગર પોલીસ વિભાગનું પણ સન્માન છે.