Mysamachar.in:જામનગર
જેને જન્મતા વેંત જ તેની માતાએ કચરામાં ફેંકી દીધું તે બાળક ભલે બોલી ના શકે પણ તેનો આત્મા કહેતો હશે એ માં મારો શું વાંક….? મને શા માટે કચરામાં ફેંકી દેવાયો….વાત છે જામનગર શહેરની જ્યાં શરૂ સેક્શન રોડ પર કચરામાંથી આજે વહેલી સવારે ત્યજી દીધેલ નવજાત બાળક હોવાની માહિતી સ્થાનિકોએ પોલીસ અને 108 ને આપતા પોલીસે સ્થળ પર દોડી જઈ અને 108 મારફત બાળકને હોસ્પીટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું છે. કોઈ અજાણી વ્યક્તિ કે મહિલા પોતાનું પાપ છુપાવવા નવજાત શિશુને કચરામાં ફેંકી ફરાર થઇ ગઈ હોય તે દિશામાં પોલીસ હવે આગળ તપાસ હાથ ધરશે હાલ નવજાત બાળક જે બાબો છે તેની બેબી વોર્ડમાં સારવાર ચાલી રહી છે.