Mysamachar.in-જામનગર
જામનગર શહેર જિલ્લામા ગરીબોને અનાજ આપવાની સરકારની સસ્તા અનાજની યોજના સાવ ફેલ ગઇ છે તેનુ કારણ પુરવઠાતંત્ર છે તેમ લોકોના અભિપ્રાય પરથી તારણ નીકળે છે અને ગરીબો કડકડતી આંતરડીથી ખુલ્લા આક્ષેપ કરે છે, વોર્ડ ગમે ત્યારે ખુલે માલ ઓછો મળે સમયસર ન મળે બીલ ન આપે ખરાબ માલ આપે વજન ઓછુ આપે ક્યારે માલ આવ્યો તે જાણ ન કરે કોઇ સુવિધા ન રાખે ફરિયાદ બુક ન રાખે ઉપરથી પુરવઠા અધીકારી ઇન્સ્પેક્ટર, હેડકલાર્ક પણ કઇ બોલે નહી વગેરે બાબતો શુ દર્શાવે છે?
દરમ્યાન આ શંકાને પ્રબળ કરતા નાગરીકોના ખુલ્લેઆમ એવા અભિપ્રાય અને આક્ષેપ છે કે પુરવઠા વિભાગ હપ્તા ઉધરાવે છે દાદાગીરી કરે છે રાશન દુકાનોમાં ચેકિંગ થતું નથી પુરવઠા અધિકારી કર્મચારી ખાયકી વિભાગ થઇ ગયો છે સરકારી ગોડાઉનમાં ધાલમેલ થાય છે જેની તપાસ કરાતી નથી અને લેખીત ફરિયાદમા તેમજ પ્રતિભાવોમાં નાગરીકોએ ઉમેર્યુ છે પુરવઠા ખાતું ચોર ટોળકી હરામી ખાતું થય ગયું છે.
ખાખી જેમ બારોબાર અનાજ જાય છે દુકાનોમાં ચોરી તોલ માપ ખોટા સારો માલ અધિકારી કર્મચારી લઇ જાય છે પુરવઠા વિભાગ કર્મચારી અધિકારી સરકારી ગોડાઉનમાંથી માલ ઘરે લઈ જાય છે માલ બારોબાર પગ કરી જાય છે….. વગેરે આક્રોશ જનક આક્ષેપ ફરિયાદ વાસ્તવિકતાના ચિતાર લોકો mysamachar.in ને આ ઝુંબેશ દરમ્યાન કન્ટીન્યુ આપી જ રહ્યા છે.
-વોર્ડ કોકના નામે ચલાવે કોક ક્યાક કોમ્યુટર નહી પ્રિન્ટર તો નહી જ
નાગરિકો પીડા સાથે જણાવે છે કે રેશનવોર્ડવારાઓની જોહુકમીથી ગરીબો ત્રાસી ગયા છે કોઇ દાદ દેતુ જ નથી તેમા વળી દુકાનો ડમી ચલાવતા હોવાના ઘણા કિસ્સાઓની યાદી મળી છે નાગરીકો કહે છે શહેરી વિસ્તારમાંથી મોટેભાગે મૂળ દુકાનદારની જગ્યાએ બીજા લોકો જ વહીવટ કરતા હોય છે. જે તે કચેરીના વહીવટીતંત્ર સાથે સંકળાયેલા હોય એટલે ગરીબોના ભાગનું અનાજ બારોબાર જ પગ થાય અને ખરેખર બાજુમા વોર્ડ હોય પરંતુ તે વોર્ડની દુકાનની આજુબાજુમાં રહેતા હોય છતાય એ લોકોને એમના ઘરથી ધણી દૂરની દુકાન આવું રાશન લેવા ફાળવી હોય એટેલે દુર સુધી વારંવાર ધક્કા ખવડાવતા હોય છે.
વળી ના છુટકે ધક્કા ખાઇ જતા નાગરીકોના પેટના કોળીયા સમાન અનાજ દેતાં હોય છે જે બારોબાર સગેવગે કરવામાં આવે છે!! કેટલુ કરૂણ કહેવાય?આ બધી બાબત પ્રજા જાણે છે એમ નહી લગત દરેક ઓફીસવાળા પણ જાણે છે અને ગરીબોનો પેટનો કોળીયો છીનવાય તો આંતરડી કકળે તે દર્દમાથી ચિત્કાર ઉઠે જે ક્યારેક વિનાશ પણ લાવે તે યાદ રાખવું જોઈએ.