Mysamachar.in:જામનગર
જામનગરના પંચવટી વિસ્તારમાં વસવાટ કરતી એક યુવતીએ ગતસાંજે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેવાના મામલામાં ત્રણ શખ્સો સામે મૃતક યુવતીની સુસાઈડ નોટને આધારે મરી જવા મજબુર કર્યા અંગેની કલમ હેઠળ ગુન્હો દાખલ થયો છે, આ અંગેની પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો એવી છે કે…જામનગરના પંચવટી સોસાયટીમાં આવેલ શીતલ એપાર્ટમેન્ટના બીજા માળે વસવાટ કરતી નુંરઝાહ નામની અપરણિત યુવતીએ ગત સાંજે પોતાના રહેણાંક મકાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેમના ભાઈએ આ અંગેની જાણ સીટી બી ડીવીઝન પોલીસ મથકને કરતા પોલીસે સ્થળ પર પહોચી તપાસ હાથ ધરતા મૃતકના હાથે અંગ્રેજીમાં લખાયેલ એક પાનાની સુસાઈડ નોટ પોલીસને મળી આવી હતી,
જેમાં મૃતક દ્વારા લખેલ હતું કે મારા મોતની પાછળ અફરોજ તૈયબ ચમડિયા, રજાક સાઈચા અને અખ્તર ચમડિયા જવાબદાર છે, અને આ લોકો કોઈપણ કારણ વગર ખોટી રીતે નામ ખરાબ કરતા હોય અને બદનામીથી લગ્ન થશે અને હવે આગળ જીવવા દેશે નહિ આમ આ ત્રણેય ઇસમોના માનસિક ત્રાસથી કંટાળી જઈ યુવતીએ અંતિમ પગલું ભર્યાના આધારે કલમ 306 મુજબ ગુન્હો દાખલ કરી સીટી બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.