Mysamachar.in-જામનગર
જામનગર કોર્પોરેશનમા લાંબા સમયથી દબાવાયેલા આસી.કમિશ્નર વહીવટની પોસ્ટ મામલે સરકારે જામનગર મહાનગરપાલિકાને જોરદાર લપડાક મારી છે, અને જીએએસ કેડરના અધીકારીની સીધી જ નિમણુંક કરતા અસત્ય ઉપર સત્યનો વિજય તો થયો છે, તદુપરાંત મીલીભગતથી ચાલતી લાંબા સમયની કારસ અનીતિને બ્રેક લાગતા લગતમાં સોંપો પડી ગયો છે, અને અમુક કુંડાળા ચિતરાયા હોય તે સમા-નમા કરવા માંડ્યા હોવાનુ જાણવા મળે છે, તેમજ સીધી ઉપરથી નિમણુંક થઇ હોઇ બની બેઠેલા આસી.કમિશ્નર એવા ચીફ એકાઉન્ટન્ટને ભુકંપી ઝટકો લાગ્યાનુ તેના નજીકના વર્તુળોએ ટાપસી પુરતા જણાવ્યુ છે,
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવા આસીસ્ટન્ટ કમિશ્રરની નિયુક્તિ રાજ્યસરકારના મહેસુલવિભાગે કરી છે, જેમાં ભાર્ગવ ડાંગર જી.એસ.એસ.ની નિયુક્તિના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે, તેઓ હાલ ભાવનગર આસિસ્ટન્ટ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી તરીકે ફરજ બજાવી રહ્યા છે, અને આગામી દિવસોમાં જામનગર મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે ચાર્જ સંભાળશે, ઉલ્લેખનીય છે, જામનગર કોર્પોરેશનમાં લાયક અધીકારીને લીગલ ઓપીનિયન હોવા છતા આસી.કમિશ્નરની પોસ્ટ ઉપર નિમણુંક કરાતી નથી અને તેના બદલે અન્યાયી રીતે ચીફ એકાઉન્ટન્ટને આસી.કમી.નો ચાર્જ વર્ષોથી અપાયો છે, જે ગેરકાયદેસર છે આ ચાર્જ દબાવી બેઠેલા ચીફ એકાઉન્ટન્ટ હવામા ઉડતા હતા અને બીજા અધીકારીઓ તેમજ કર્મચારીઓ ઉપર રીતસર ત્રાસ ગુજારતા જ રહ્યા છે, વર્ષોથી આ રીતે કોકના જોરે ઉછળી રહેલા આખલાને નાથવો બહુ જરૂરી હતો દરમ્યાન આ બની બેઠેલા આસી.કમી. ચીફ એકાઉન્ટન્ટ સામે રીતસર બળવો જ ફુંકાયો હતો, અને આ ત્રાસદાયક ચાર્જ સંભાળવાની ગેરકાયદેસર પ્રવૃતિઓની સીલસીલાબંધ હકીકતો છેક મુખ્યમંત્રી સુધી પહોંચી હતી,.
સમગ્ર મામલો સરકારને પણ ગંભીર લાગ્યો કે લાયકાત વગરના કોઇ આસી.કમિ. બની ને કેમ બેસી શકે? અને તે પણ વર્ષો સુધી એક હથ્થુ શાસન કેમ ચાલે? સમગ્ર મામલે સરકાર સુધી અમુક સ્ફોટક અને કૌભાંડના પર્દાફાશ રૂપી બાબતો પહોંચી હોવાનુ જાણવા મળે છેમાટે હાલ પહેલુ પગલુ લેવાના ભાગરૂપે આસી. કમી. તરીકે જામનગર કોર્પો.માં સરકારે સીંગલ તાકીદના ઓર્ડરથી જીએએસ અધીકારીનું પોસ્ટીંગ કર્યુ છે હવે આ જ રીતે આસી.કમી. ટેક્સ તેમજ ચીફ એકાઉન્ટન્ટની લાયકાત ભરતી સીલેક્શન તેમજ નાણા સાચવણી બાબતેના બીજા વધુ પગલાઓ હવે લેવાય તો નવાઇ નહી
દરમ્યાન ગાદી ખસી જતા ભુકંપ આવ્યાનો અનુભવ કરનાર ચીફ એકાઉન્ટન્ટ અને તેના આકા તો આ સ્પેશ્યલ ઓર્ડરથી હતપ્રત થઇ ગયા છે, અને ઘાંઘા-વાંઘા થઇ અમુક સમુ-નમુ કરવામા લાગ્યા છે, જોકે હજુ નવનિયુક્ત અધીકારી ચાર્જ સંભાળશે તેમજ સમગ્ર કામગીરીનો અભ્યાસ કરશે તો અનેક બાબતો બહાર આવશે તે પણ લગત લોકોને ભય સતાવે છે આ બધુ તો સમય બતાવશે હાલ અસત્ય ઉપર સત્ય જીત્યુ છે અને કોઇના જોરે હાલના બની બેઠેલા અને કોઇની કૃપાથી ચિપકેલા આ આસી.કમી. નો ત્રાસ ભોગવતા અધીકારીઓ કર્મચારીઓ માટે દિવાળી પહેલા જ હાશકારાનો ઉજાસ થયો હોવાનુ ચર્ચાય છે.