Mysamachar.in-જામનગર
જામજોધપુર તાલુકાના જીણાવારી ગામે વસવાટ કરતા અને ખેતીકામ કરતા વશરામભાઇ ખીમાભાઇ કણેતના 22 વર્ષીય પુત્ર અશ્વિન સાતમ આઠમના તહેવારમા પોતાના પિતા પાસે અવાર નવાર વાપરવાના રૂપીયા માગતા હોય અને તા-17-09-2021 ના રોજ પોતાના પિતા પાસે વાપરવાના રૂપીયા માગતા એના પિતાએ નહી આપતા મનમા લાગી આવતા પોતાની જાતે પાકમા છાંટવાની ઝેરી દવા પી જતા મરણ ગયાનું જામજોધપુર પોલીસ મથકે જાહેર થયું છે.