Mysamachar.in:જામનગર
જામનગર મનપાના ફૂડ સેફટી ઓફિસરોની ટીમ દ્વારા ગત સપ્તાહે કરવામાં આવેલ કામગીરીનો અઠવાડિક અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં નાગનાથ ગેઈટ પાસે આવેલ જય ભોલે રેસ્ટોરન્ટમાં રૂબરૂ ઈન્સ્પેક્શન દરમિયાન 1 કિલો દાળ 2 કિલો બાફેલા શાકભાજી, 4 કિલો ભાત વાસી જણાતા સ્થળ પર નાશ કરાવેલ ત્યારબાદ દીપક ટોકીઝ રોડ પર આવેલ આર.એમ.બાજરીયા પ્રોવીઝન સ્ટોરમાં રૂબરૂ ઈન્સ્પેક્શન દરમિયાન પાણીપુરીની પૂરીના 30 પેકેટ વાસી/લેબલ વગરના મળી આવતા સ્થળ પર નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
તો પટેલ કોલોની વિસ્તારમાં આવેલ zorko રેસ્ટોરન્ટમાંથી 500 ગ્રામ નૂડલ્સ, 200 ગ્રામ બાફેલા બટેટા અને 5 નંગ આલુટીકી ખરાબ અને વાસી જણાતા સ્થળ પર નાશ કરાવવા ઉપરાંત રણજીત રોડ પર આવેલ નેન્સી સીઝન સ્ટોર્સમાં સેવ, પૂરી, કારેલી, ચક્રી વગેરે મળી કુલ 20 પેકેટ લેબલ વગરના મળી આવતા સ્થળ પર નાશ કરાવેલ છે. જયારે રણજીત સાગર રોડ ઉપર આવેલ સીઝનલ મસાલા સ્ટોર ધરાવતા વિક્રેતાઓ ને 4 જેટલી વગર લાયસન્સ અંગેની નોટીશ આપવામાં આવી હોવાનું જાહેર કરાયું છે.