Mysamachar.in:જામનગર
જામનગર શહેરમાં બેડી નજીક ઓવરબ્રિજ આવેલો છે.આ બ્રીજના સાંધામાં સામાન્ય આગ અને કેટલાક સાંધાઓમાંથી ધુમાડાના અહેવાલ ગતરાત્રીના વહેતા થયા હતા.અને તેના વિડીઓ અને ફોટો પણ સામે આવ્યા હતા, આ અંગે સ્થાનિક કોર્પોરેટર નુરમામદ પલેજા પણ સ્થળ પર પહોચ્યા હતા અને ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમે બેડી ઓવરબ્રિજ પર સાંધામાંથી નીકળેલ આગને પ્રથમ બુજાવી દઈ અને આ આગ કઈ રીતે લાગી તે તપાસ કરતા બ્રીજ નીચે કેટલીક જગ્યાએ કેટલાક ટાયર સળગાવેલ હાલતમાં મળી આવ્યા હતા. તો આ ટાયરો કોણે અને શા માટે આ રીતે બ્રીજ નીચે સળગાવ્યા..? શું ટાયરો સળગવાથી બ્રિજના સાંધામાં આગ દેખાઈ..? શું કોઈ ટીખણખોર તત્વોનું કારસ્તાન તો નથી ને?? તે તમામ બાબત વચ્ચે જામનગર મનપા આ બાબતને ગંભીરતાથી લઇ રહી છે અને જરૂરી પગલાઓ આગામી કલાકોમાં ભરવામાં આવશે તેમ જાણવા મળે છે.