Mysamachar.in:જામનગર
કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારમાં ભૂતકાળમાં નોકરી કરતાં અને હાલ પેન્શન મેળવતાં તમામ નિવૃત્ત કર્મચારીઓ માટે જિલ્લા તિજોરી અધિકારીએ એક સૂચના જાહેર કરી છે, જે તમારે જાણવી જરૂરી છે. જામનગર જિલ્લા તિજોરી કચેરીએ જણાવ્યું છે કે, જિલ્લા તિજોરી કચેરી અથવા તાબાની કચેરીઓ મારફત IRLA સ્કીમ હેઠળ પેન્શન મેળવતાં તમામ નિવૃત્ત કર્મચારીઓ પૈકી જે નિવૃત્ત કર્મચારીઓની વાર્ષિક આવક વર્ષ 2023/24 માટે કરપાત્ર હોય, તેવાં નિવૃત્ત કર્મચારીઓએ આવકવેરા કાયદા હેઠળ જે બે વિકલ્પ આપવામાં આવ્યા છે – New Regime અને Old Regime,
તે પૈકી જેઓ Old Regime વિકલ્પ સ્વીકારવા ઈચ્છતા હોય તેઓએ જ તા.20 માર્ચ પહેલાં જિલ્લા તિજોરી કચેરીને લેખિતમાં વિકલ્પ આપવાનો રહેશે. નિવૃતો પૈકી જેઓએ Old Regime વિકલ્પ સ્વીકાર્યો છે તે સિવાયનાં તમામ નિવૃત્ત કર્મચારીઓએ New Regime વિકલ્પ પસંદ કર્યો છે એમ માનીને આવકવેરા કાયદા હેઠળ તેઓની કરપાત્ર આવકમાંથી કરકપાત કરવામાં આવશે, એમ જિલ્લા તિજોરી કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.