Mysamachar.in:ગુજરાત
દરેક ક્ષેત્રમાં વધી રહેલ મોંઘવારી વચ્ચે બે દિવસ પૂર્વે ખાતરના ભાવોમાં પણ વધારો થતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો, ત્યારે આજે બે દિવસ બાદ રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેંદ્રીય રસાયણ મંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી હતી કે ખાતરના ભાવમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. કેંદ્ર સરકારે સબસિડીની રકમ વધારી દીધી છે એટલે ખેડૂતો પર વધારાનો બોજો નહીં પડે. વાવાઝોડુ, અતિવૃષ્ટિથી તબાહ થયેલા ખેડૂતોને નુકસાનીનું હજુ સુધી વળતર ચૂકવાયું નથી. રવિ સિઝન પૂર્વે રાસાયણિક ખાતરના ભાવમાં પ્રતિ બેગ રૂપિયા 265નો વધારો ઝીંકી દેવાતા ખેડૂતો ગુસ્સે ભરાયા હતા. વધુમાં જે કંપનીઓએ ખાતરના ભાવોમાં વધારો કર્યો છે તેને પાછો ખેંચવાની સૂચના આપી દીધી છે. કેટલાક ખાતરોની બહારથી આયાત કરવી પડે છે. NPKમાં કેટલીક કંપનીઓએ MRP 1700 રૂપિયા કરી હતી. આવી કંપનીઓને અમે કિંમત ઓછી કરવા સૂચના આપી દીધી છે.