Mysamachar.in-જામનગર:
ખેડૂત આગેવાન અને ભાજપના કદાવર નેતા અને હાલ રાજ્યની સરકારમાં ત્રીજા નંબરના કેબીનેટ કૃષિ મંત્રી રાઘવજી પટેલનું વતન ધ્રોલ છે, ત્યારે રાજ્ય સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં એક ખેડૂત નેતા તરીકેનું આગવું સ્થાન ધરાવતા કૃષિમંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શનમાં સ્થાનિક નેતાઓની જહેમતથી ધ્રોલ માર્કેટિંગ યાર્ડ બિનહરીફ કબજે કરવામાં ભાજપને સફળતા મળી છે.
ભારતીય જનતા પક્ષ દ્વારા રાઘવજી પટેલ મંત્રી કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યઉધોગ, ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ તથા કાલાવડના ધારાસભ્ય મેઘજી ચાવડાની આગેવાની હેઠળ ભાજપ પ્રેરીત સહકારી પેનલની રચના કરીને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ધ્રોલની સામાન્ય ચુંટણી લડવામાં આવેલ અને કુલ 16 બેઠકો માટે ભાજપ પક્ષ દ્રારા કુલ 16 ઉમેદવારી ફોર્મ રજુ કરવામાં આવેલ
જેમાંથી ખેડુત વિભાગમાં 10, ખરીદ વેંચાણ વિભાગમાં 2 અને વેપારી વિભાગમાં 4 ફોર્મ ભરેલ અને આજરોજ ચકાસણી દરમ્યાન એક ફોર્મ વધારે રજુ થયેલ તે રદ થતા ભાજપ પક્ષના 16 ઉમેદવારો બીન હરીફ જાહેર થયેલ છે. આમ સહકારી ક્ષેત્રમાં ભાજપ પક્ષ અને સહકારી આગેવાન ખેડૂત નેતા કૃષિમંત્રી રાઘવજી પટેલનો ધ્રોલ તાલુકામાં સહકારી ક્ષેત્રમાં દબદબો જોવા મળેલ છે.
ખરીદ વેંચાણ વિભાગમાંથી રસીકભાઈ કે. ભંડેરી તથા હરેશભાઈ એન. પીપરીયા, વેપારી વિભાગમાંથી કુંવરજીભાઈ અઘેરા, પરસોતમભાઈ પીપરીયા, જયસુખભાઈ ધમસાણીયા, મહેશભાઈ ચીખલીયા અને ખેડુત વિભાગમાંથી રમેશભાઈ ભંડેરી, યોગેશભાઈ ચભાડીયા, હંસરાજભાઈ પાદરીયા, નવલભાઈ મુંગરા, દેવકરણભાઈ ભાલોડીયા, કરશનભાઈ ગડારા, વશરામભાઈ શીયાર, મગનભાઈ રત્નાણી, મયુરસિંહ જાડેજા, ગજરાબા સતુભા જાડેજા આ ઉમેદવારો બીન હરીફ જાહેર થયેલ છે.
ભાજપ પક્ષની સહકારી પેનલ બીન હરીફ થાય તે માટે ધારાસભ્ય મેધજી ચાવડા, રસીક ભંડેરી, નવલ મુંગરા, રાજભા જાડેજા, દેવકરણ ભાલોડીયા, તેમજ ભાજપ પક્ષના આગેવાનો અને સહકારી આગેવાનો દ્વારા ખંતથી કામગીરી કરી હતી, બીન હરીફ ચુંટાયેલા તમામ 16 ઉમેદવારોને ભાજપ પક્ષના સંગઠનના હોદેદારો, સહકારી આગેવાનો, સહકારી મંડળીઓના પ્રમુખઓ, જીલ્લા પંચાયતના સદયઓ,તાલુકા પંચાયતના હોદેદારઓ, વેપારીઓ, તેમજ ખેડુતોએ શુભકામનાઓ પાઠવી હતી.