Mysamachar.in-જામનગર;
જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે ટાઉનહોલ ખાતે મળી હતી, જેમાં બોર્ડનું અધ્યક્ષસ્થાન મેયર અને ડેપ્યુટી મેયર બન્ને ગેરહાજર હોવાથી સ્ટે.કમિટી ચેરમેન મનીષ કટારીયાએ સંભાળ્યું હતું, સામાન્યસભાના એજન્ડામાં કાર્યપાલક ઈજનેર તરીકે ભાવેશ જાનીને પ્રમોશન આપવાનો ઠરાવ કરવામાં આવ્યો તેને વિપક્ષ સહીત સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યો હતો, પરંતુ વિપક્ષે કાર્યપાલક ઈજનેરની અન્ય ખાલી જગ્યાઓ કેટલી? તેવો સવાલ કરતા ડેપ્યુટી કમિશ્નર એ.કે.વસ્તાનીએ કહ્યું હતું કે આવી ચાર જગ્યાઓ ખાલી છે અને અનુભવને આધારે ભરવામાં આવે છે.માટે વિપક્ષે માંગ કરી છે કે અન્ય ખાલી જગ્યાઓ પર સત્વરે ભરવામાં આવે,
આ ઉપરાંત રીટાયર્ડ થયા બાદ ઇન્ચાર્જ સેક્રેટરી અશોક પરમારને વારંવાર આપવામાં આવતી તકમાં આજે વધુ એક વખત વધારો કરી અને તે ભલે રીટાયર્ડ થઇ ગયા પણ તેમની “સેવા” નો લાભ અવિરત મનપાને મળતો રહે તે માટે આજે વધુ એક વખત ઇન્ચાર્જ સેક્રેટરી અશોક પરમારની મુદ્દતમાં 6 માસનો વધારો ચેર પરથી લાગણી સાથે કરવામાં આવ્યો હતો.તો વિપક્ષના મહિલા કોર્પોરેટર જેનબ ખફીએ સોલીડ વેસ્ટ વિભાગના ડોર ટુ ડોર કલેક્શનની કામગીરીને લઈને ઉઘરાણા વેપારીઓ પાસેથી કચરો એકત્ર કરવા માટે થ્ત્તા હોવાના આક્ષેપો સહીત કેટલીય માગવામાં આવેલ માહિતીઓ તેમને કચરા ખાતાએ ના આપી હોવાનું તેમણે જણાવ્યું હતું.