Mysamachar.in:જામનગર
વરસાદી સીઝન શરુ થવાને હવે બહુ દિવસોની વાર નથી ત્યારે દરવર્ષ જામનગર મહાનગરપાલિકા વરસાદી સીઝન પૂર્વે શહેરના નાળાઓ, કેનાલો, ફીડીંગ કેનાલો વગેરે માટે પ્રિ મોન્સુન કામગીરી કરાવતા હોય છે, ત્યારે આ વર્ષે પણ આ કામગીરી શરુ થઇ છે ત્યારે દરેક કામ ચોકસાઈથી થાય તેવો આગ્રહ રાખનાર મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ કાલે નાયબ કમિશ્નર ભાવેશ જાની અને કંટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવા સહિતના અધિકારીઓને સાથે રાખીને પ્રિ મોન્સુન સાઈટોની વિઝીટ કરી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યા હતા, અને પ્રિ મોન્સુન કામગીરી બાદ વરસાદ આવે ત્યારે પાણી ના ભરાય અને લોકોને હાલાકી ના પડે તેવી કડક સૂચનાઓ પણ આપી છે.
આગામી ચોમાસાની સિઝનને ધ્યાને લેતા મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ શહેરની વરસાદી પાણીની કેનાલ, નાલા-પુલિયાઓની સ્થળ પર સમીક્ષા કરેલ જે અનુસંધાને દરેડ ફીડીંગ કેનાલ, દિ. પ્લોટ 49 કેનાલ, રામનગર કેનાલ, દિગ્જામ સર્કલ થી સોનલ નગર તરફ જતી કેનાલ વિગેરે વરસાદી પાણી નિકાલની કેનાલોની રૂબરૂ સ્થળ તપાસ કરી અને અને આગામી પ્રી – મોન્સુન કામગીરી સમયસર પૂર્ણ કરવા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન સુચના આપવામાં આવી હતી.