Mysamachar.in-જામનગર:
જામનગર સંસદીય મતક્ષેત્રના સાંસદ પૂનમબેન માડમ દ્વારા આગામી તારીખ 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની સેવાકીય ઉજવણીના ભાગરૂપે સેવારૂપી કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે આગામી 17 મી સપ્ટેમ્બરે જામનગરમાં સાંસદ પૂનમબેન માડમ દ્વારા હરિયા કોલેજ ખાતે બે દિવસ મેગા સર્વરોગ નિદાન કેમ્પ (તા. 17 તથા 18) અને 17 મીએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ નિદાન કેમ્પ બંને દિવસોએ સવારે 10 થી 1 અને બપોરે 2 થી 5 દરમિયાન રહેશે, જ્યારે રક્તદાન શિબિર 17 મીએ સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી રાખવામાં આવી છે. આ બંને કાર્યક્રમનું આયોજન સ્વ. હેમંતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ અને શિવાની ફાઉન્ડેશન (પ્રમુખ પૂનમબેન માડમ) દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આગામી 17 મીએ વડાપ્રધાનનો 72 મો જન્મદિવસ છે. નિદાન કેમ્પમાં દર્દીઓને જરૂરિયાત મુજબની દવાઓ પણ આપવામાં આવશે.