Mysamachar.in-જામનગર
ગરીબોને મહિનાનો રાશનનો જથ્થો મળી રહે તે માટે સરકાર દ્વારા વિવિધ વિસ્તારોમાં સસ્તા અનાજની દુકાનોને પરવાના આપવામાં આવ્યા છે, પણ આવા પરવાનેદારોમાંથી કેટલાક પ્રમાણિક છે, તો કેટલાકની ખુબ ફરિયાદો ઉઠવા પામી છે, જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં આવેલ એક વોર્ડના સંચાલક તો મહિનામાં મન હોય ત્યારે જ પોતાની સસ્તા અનાજની દુકાન ખોલતા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરે છે, જેને કારણે રાશનકાર્ડ ધારકોને ભારે પરેશાની ભોગવવાનો વારો આવે છે, આજે “માયસમાચાર” ની ટીમ આ વોર્ડ ખાતે પહોચી ત્યારે મહિલાઓ અને આ વિસ્તારના સામાજિક કાર્યકરે પોતાનો રોષ આ વોર્ડને લઈને ઠાલવ્યો.. અને ગંભીર તેમજ સનસનીખેજ અને સ્ફોટક આક્ષેપો કર્યા…ત્યારે આ વિડીયો જોઇને એવું લાગે છે કે આવા રેશન વોર્ડ જામનગર શહેરમાં કેટલા હશે..?
શું તેની તપાસ ક્યારેય પુરવઠા વિભાગ કરતુ હશે..? શું રાશનકાર્ડ ધારકોને જ પુરતો માલ મળતો હશે..? જો આવી તપાસ પુરવઠા વિભાગ ના કરતુ હોય તો ગરીબોના હિતમાં પણ તપાસ કરવાની જરૂર હોય તેમ લાગે છે.કારણ કે આ વિસ્તારના લોકોની વેદના જોતા એવું લાગે છે કે જામનગર શહેર અને જીલ્લામાં આવા તો ઘણા વોર્ડ હશે ને જે પોતાની મનમાની ચલાવતા હશે….સરકાર જ્યારે ગરીબોને અન્ન પહોંચાડવાનો દાવો કરે છે ત્યારે ગરીબોનો કોળીયો ઝુંટવતા આવા તત્વો સામે પગલા ક્યારે??એમ કરગરતા ગરીબો પુછે છે.