Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમા રસ્તે રઝળતા પશુઓનો ત્રાસ કેટલો છે, તેનાથી દરેક શહેરીજનો વાકેફ છે છતાં પણ જામનગર મહાનગરપાલિકાનું તંત્ર રખડતા ઢોરને લઈને કરવી જોઈતી કાર્યવાહી ના કરી અને માત્ર ને માત્ર જાહેરનામાઓ પ્રસિદ્ધ કરી પોતાની સેફ સાઈડ કરી રહ્યું છે, છેલ્લા બે માસ જેટલા સમયગાળામાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં રસ્તે રઝળતા પશુઓના બે મોત બાદ ગઈકાલે વધુ એક મોત નો બનાવ સામે આવ્યો છે, છતાં તંત્રને શરમ જેવું તો છે જ નહિ…
ત્રીજા મોતના બનાવની વિગત એવી છે કે ભોયવાડા ધુંવાવનાકા નજીક રહેતા કેશુભાઈ છગનભાઈ મકવાણા નામના ૬૦ વર્ષીય વૃદ્ધ ને થોડાદિવસ પૂર્વે લાલપુર બાયપાસ નજીક ખુંટીયાએ ઢીંક મારતા તેવોને માથાને ભાગે ગંભીર ઇજાઓ પહોચવા પામી હતી, જે બાદ તેવોને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યાનું પોલીસ ચોપડે જાહેર થયું છે.