Mysamachar.in-ગાંધીનગર
રાજ્યમાં કોરોના વાયરસના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે, રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિરવિએ આજે પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું કે આજે કુલ નવા 92 કેસો સામે આવ્યા છે, જે કેસો આજે સામે આવ્યા છે તેમાં થી 45 કેસો તો અમદાવાદમાં જ સામે આવ્યા છે, એ સિવાય સુરત 14, વડોદરા 9, ભરૂચ 8, પંચમહાલ 2, નર્મદા 5, બોટાદ ૩, પંચમહાલ 2, તો છોટાઉદેપુર, દાહોદ ખેડા, મહીસાગર અને પાટણમાં એક એક કેસ નોંધાયો છે.ઉપરોક્ત 92 કેસો મળીને ગુજરાતમાં કોરોના પોજીટીવનો આંક 1000ને પાર થઇ ચુક્યો છે.