• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Monday, July 7, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

નવા ફોજદારી કાયદાઓ : બધાં જ મૂંઝવણમાં છે !

2 કલાકની તાલીમમાં કોઈ કાયદા નિષ્ણાંત બની શકે ? : તજજ્ઞોએ પૂછ્યો સવાલ

My Samachar by My Samachar
July 9, 2024
in અમદાવાદ, ગુજરાત
Reading Time: 1 min read
A A
આગામી 1 જૂલાઈથી નવા ક્રિમિનલ કાયદાઓનો અમલ: જાણો માહિતીઓ…
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-અમદાવાદ:

પહેલી જૂલાઈ 2024થી જામનગર સહિત સમગ્ર દેશમાં 3 નવા ફોજદારી કાયદાઓ અમલમાં મૂકાયા છે, જામનગરમાં તો પહેલી જૂલાઈ અગાઉથી જ નવા કાયદાઓની કલમો પોલીસ રિપોર્ટમાં ટાંકવામાં આવતી હતી ! પરંતુ સમગ્ર રાજ્યમાં પરિસ્થિતિઓ એ છે કે, નવા ફોજદારી કાયદાઓ અંગે બધાં જ, ખાનગી વકીલો-સરકારી વકીલો અને પોલીસ, મૂંઝવણમાં છે.

આજની તારીખે આ નવા ફોજદારી કાયદાઓ અંગે કોઈ જ સરકારી પુસ્તક પ્રકાશિત થયું નથી. ખાનગી પ્રકાશનોના પુસ્તકોને આધારે ગાડું ગબડાવવામાં આવે છે. સરકારી પુસ્તકની ગેરહાજરીમાં નવા ફોજદારી કાયદાઓનું સત્તાવાર અર્થઘટન શું કરવાનું ? સરકારે આ સમજણ માટે કોઈ પુસ્તક પ્રકાશિત કર્યું જ નથી, જે વિદ્યાર્થીઓ કોલેજમાં કાયદાના સ્નાતક બનવા માટે અભ્યાસ કરી રહ્યા છે, તેઓને પણ હજુ જૂના કાયદાઓ ભણાવવામાં આવી રહ્યા છે. કેમ કે, આ માટેના સરકાર માન્ય પાઠય પુસ્તક તૈયાર કરવામાં જ નથી આવ્યા.

બીજી તરફ બધે જ તાલીમો અપાઈ રહી છે. નિષ્ણાંતો પ્રશ્ન પૂછે છે કે, દોઢ બે કલાકની તાલીમમાં નવા ફોજદારી કાયદાઓ સમજી શકાય ? જો આવી ટૂંકી તાલીમોથી નિષ્ણાંત બની શકાતું હોય તો પછી કોલેજોમાં કાયદાઓનો અભ્યાસ કરાવવાની જરૂર શા માટે રહે ? અત્રે ઉલ્લેખનિય છે કે, વિભાગ કોઈ પણ હોય, કે વિષય કોઈ પણ હોય- સરકારી તાલીમ અંગે લોકોનો અભિપ્રાય એવો હોય છે કે, આવી મીટિંગો ચા-ગાંઠીયા, પૂરી-શાક પૂરતી મર્યાદિત હોય છે. 3 નવા ફોજદારી કાયદાઓ બહુ મોટો અને ગંભીર વિષય છે, દોઢ બે કલાકની તાલીમમાં કશું જ પરિણામલક્ષી ન થઈ શકે.

આ પ્રકારની પરિસ્થિતિઓને કારણે ખાનગી વકીલો, સરકારી વકીલો અને પોલીસ- બધાં જ નવા ફોજદારી કાયદાઓ અંગે મૂંઝવણમાં છે. અને, એક વાત એ પણ છે કે- ધારો કે અમલ દરમિયાન કોઈ વિસંગતતા ઉભી થાય, તો શું કરવું ? આ માટે સરકાર તરફથી કોઈ માન્ય પુસ્તક પણ પ્રકાશિત થયું નથી. કોનો અભિપ્રાય માનવો ? સત્તાવાર અભિપ્રાય કોને લેખવો ?

એક મહિલા નિષ્ણાંત જણાવે છે કે, અગાઉ કોઈ નવો સરકારી કાયદો આવતો ત્યારે સરકાર તે કાયદો ગેઝેટમાં પ્રકાશિત કરતી અને બાદમાં સરકારી પ્રેસમાં તે અંગે સરકારી પુસ્તક પ્રગટ થતું. છેલ્લા ઘણાં વર્ષોથી સરકારે આવા પુસ્તકો છાપવાનું જ બંધ કરી દીધું છે. અને ગેઝેટમાં જે કાયદો છપાય છે તેનું જુદાં જુદાં ખાનગી પ્રકાશનો પોતાની રીતે ટ્રાન્સલેશન કરી, પુસ્તકો છાપી નાંખે છે. આ અર્થઘટન જયારે અદાલતમાં રજૂ થાય ત્યારે, આવા નવા કાયદાઓના અર્થઘટનમાં કેટલીક વિસંગતતાઓ ઉભી થતી હોય છે, તેથી કાયદા પાલનમાં મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. અદાલતનું કામ મુશ્કેેલ બની જતું હોય છે. એ જ રીતે નવા કાયદાઓના સરકારી પુસ્તક એટલે કે કોલેજનો અભ્યાસક્રમ છપાયો ન હોય, કોલેજો કાયદાના વિદ્યાર્થીઓને યોગ્ય રીતે ભણાવી શકતી નથી. તેને કારણે પણ ઘણી વિસંગતતાઓ ઉભી થઈ શકતી હોય છે.

અન્ય એક નિષ્ણાંત કહે છે: ખૂબ ઉતાવળિયું પગલું ભરાયું હોવાથી કાયદાઓનો અસરકારક અમલ થઈ શકતો નથી. વર્ષો જૂના કાયદાઓને રાતોરાત બદલી નાંખવામાં આવ્યા છે. કાયદાઓ સાથે સંબંધિત કોઈ પણ લોકોને આ માટેની પદ્ધતિસરની તાલીમ આપવામાં આવી નથી. આ નવા કાયદાઓનો અભ્યાસક્રમ અગાઉથી લો-કોલેજોને આપવામાં આવ્યો નથી. કોલેજોમાં આ પુસ્તકો અગાઉથી આપવા જોઈએ, જે આપવામાં આવ્યા નથી, તેથી હાલ લો-કોલેજોમાં નવા એડમિશન લેનાર વિદ્યાર્થીઓને શરૂઆતથી જ તકલીફો પડી જશે અને જે વિદ્યાર્થીઓ બીજા અથવા ત્રીજા વર્ષમાં છે, તેઓ જૂના કાયદાઓ ભણેલાં છે, તેઓ નવા કાયદાઓ કયારે ભણશે ? એ માટેના સરકારી પુસ્તકો જ નથી.(Symbolic image source:google)

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગર જિલ્લાની 1,022 પ્રાથમિક શાળાઓમાં હવે, 12 શનિવાર ‘બેગલેસ’ અને ‘જોયફૂલ’…

કેરલેસ : જામનગરમાં શિક્ષણ વિભાગ ‘બેગલેસ’ દિવસ ઉજવી રહ્યો છે !

July 5, 2025
સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રીએ સરપંચોને ‘સાન’માં સમજાવી દીધું કે..

સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રીએ સરપંચોને ‘સાન’માં સમજાવી દીધું કે..

July 5, 2025
JMCની દુકાનોની હરાજી: કોર્પોરેશનને રૂ. 6.25 કરોડની આવક..

JMCની દુકાનોની હરાજી: કોર્પોરેશનને રૂ. 6.25 કરોડની આવક..

July 5, 2025
જામનગરમાં ટ્રાફિક-પાર્કિંગ બાબતે અનેક સમસ્યાઓ મૌજૂદ…

જામનગરમાં તમામ વોર્ડનું થઈ શકે નવું સીમાંકન…

July 4, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગર જિલ્લાની 1,022 પ્રાથમિક શાળાઓમાં હવે, 12 શનિવાર ‘બેગલેસ’ અને ‘જોયફૂલ’…

કેરલેસ : જામનગરમાં શિક્ષણ વિભાગ ‘બેગલેસ’ દિવસ ઉજવી રહ્યો છે !

July 5, 2025
સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રીએ સરપંચોને ‘સાન’માં સમજાવી દીધું કે..

સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રીએ સરપંચોને ‘સાન’માં સમજાવી દીધું કે..

July 5, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®