• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Friday, May 16, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

વકીલ કિરીટ જોશી હત્યા કેસ..તપાસ CIDને સોંપાઈ

My Samachar by My Samachar
November 16, 2018
in જામનગર
Reading Time: 1 min read
A A
વકીલ કિરીટ જોશી હત્યા કેસ..તપાસ CIDને સોંપાઈ
Share on WhatsAppShare on FacebookShare on Twitter

mysamachar.in-જામનગર:

જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર જગાવનાર શહેરના જાણીતા વકીલ કિરીટ જોશીની હત્યાના બનાવમાં અનેક રહસ્ય પરથી પડદા ઉચકાયા બાદ ભુમાફિયા ડોન જયેશ પટેલની સંડોવણી ખુલવા પામી હતી. જે હાલ વિદેશ નાશી છૂટ્યો છે, તેવામાં કિરીટ જોશીની હત્યા કેસમાં અનેક ચડાવ-ઉતાર વચ્ચે આ હત્યા કેસની તપાસ સી.આઈ.ડી. ક્રાઇમને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જામનગરમાં ટાઉનહોલ જેવા ભરચક વિસ્તારમાં જ્યોત ટાવરમાં ઓફિસ ધરાવતા શહેરના જાણીતા વકીલ કિરીટ જોશીની સરાજાહેર છરીના આડેધડ ઘા મારીને હત્યા નિપજાવવામાં આવ્યાનો બનાવ બનતા સમગ્ર જામનગરમાં આ હત્યાના બનાવથી ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને હત્યા પ્રકરણમાં મૃતક વકીલના ભાઈની ફરિયાદના આધારે પોલીસએ ભુમાફિયા જયેશ પટેલ સહિત અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હતી.
જામનગર પોલીસની જુદીજુદી દીશામાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવ્યા બાદ વકીલ કિરીટ જોષીની હત્યા પ્રકરણમાં એક પછી એક રહસ્યો ખુલતા ગયા અને એવું બહાર આવ્યું કે, જયેશ પટેલએ અમદાવાદનાં નામીચા શખ્સો એવા પુજારા ભાઈઓને સોપારી આપી વકીલ કિરીટ જોશીની હત્યા કરાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

જામનગરના તત્કાલિક એસ.પી.પ્રદિપ સેજુળની સતર્કતાથી આ હત્યા કેસમાં ગંભીરતાપૂર્વક પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરીને  રાજકોટ,મુંબઈ,અમદાવાદ વગેરેના સ્થળોના ૧૧ શખ્સોની સંડોવણી ખૂલ્યા બાદ ૧૧માંથી પોલીસે ૭ શખ્સોને દબોચી લઈને ધરપકડ કરવામાં આવી હતી.

વધુમાં જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રના વકીલ આલમ તેમજ બ્રહ્મસમાજમાં આ હત્યાને લઈને ભારે રોષ જોવા મળતા આ કેસમાં ખાસ સરકારી વકીલની નિમણૂક પણ કરવામાં આવી છે,તેવામાં મુખ્ય સૂત્રધાર જયેશ પટેલ સહિત ચાર શખ્સો હજુ ફરાર હોય,તાજેતરમાં જયેશ પટેલના વિદેશમાં બેઠા-બેઠા જામનગરના સંપર્કમાં હોવાના આક્ષેપો સાથે એસ.પી.શરદ સિંઘલને બ્રહ્મસમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપીને મુખ્ય સૂત્રધારોને હજુ ફરાર હોય ઝડપી લેવા તપાસ તેજ કરવા રજૂઆત કરવામાં આવી હતી.

ત્યારે જામનગરના ચકચારી વકીલ કિરીટ જોશી હત્યા કેસની તપાસ સ્થાનીક પોલીસ પાસેથી આંચકીને સી.આઈ.ડી.ક્રાઇમને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ત્યારે જામનગરના સી.આઈ.ડી.ક્રાઇમમાં હાલ રાજકોટ ગ્રામ્ય સી.આઈ.ડી.ક્રાઇમના પી.આઈ. વી.એમ.ભોરણીયા ચાર્જમાં હોય,તેઓ દ્વારા તપાસ સંભાળીને આ કેસમાં આગળ વધશે તેવું સી.આઈ.ડી.ના સૂત્રોએ જણાવ્યુ હતું.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરમાં ટ્રાફિક-પાર્કિંગ બાબતે અનેક સમસ્યાઓ મૌજૂદ…

જામનગરમાં ટ્રાફિક-પાર્કિંગ બાબતે અનેક સમસ્યાઓ મૌજૂદ…

May 16, 2025
કાકા અને પિતરાઈ ભાઈના મોતનો બદલો લેવા પોલીસકર્મી હત્યા નીપજાવી સરેન્ડર થયો

લાલપુર:સમાધાન માટે ભેગા થયા પણ વાત બગડી અને હત્યા સુધી મામલો પહોચ્યો

May 16, 2025
જાણો છો ? : ચાલવા માટે ફૂટપાથ તમારો ‘અધિકાર’ છે..

જાણો છો ? : ચાલવા માટે ફૂટપાથ તમારો ‘અધિકાર’ છે..

May 15, 2025
ઈન્સ્ટાગ્રામ : 16 વર્ષથી ઓછી ઉંમર હશે તો, નહીં બની શકે એકાઉન્ટ…

ગુજરાત : બ્લોક કરવામાં આવેલા એકાઉન્ટ પૈકી મોટાભાગના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ…

May 15, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરમાં ટ્રાફિક-પાર્કિંગ બાબતે અનેક સમસ્યાઓ મૌજૂદ…

જામનગરમાં ટ્રાફિક-પાર્કિંગ બાબતે અનેક સમસ્યાઓ મૌજૂદ…

May 16, 2025
કાકા અને પિતરાઈ ભાઈના મોતનો બદલો લેવા પોલીસકર્મી હત્યા નીપજાવી સરેન્ડર થયો

લાલપુર:સમાધાન માટે ભેગા થયા પણ વાત બગડી અને હત્યા સુધી મામલો પહોચ્યો

May 16, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®