Mysamachar.in:જામનગર
રાજ્ય અને રાષ્ટ્રના અન્ય વિસ્તારોની જેમ જામનગર અને દ્વારકા જિલ્લામાં આવેદનપત્રો ખુબ જ અપાય છે પરંતુ મોટાભાગના આવેદનપત્રો ફાઇલોની શોભા વધારે છે.? આવો સવાલઉભો થયો છે, સરકારી કચેરીઓમાં દફતરે થઇ જતા આવા આવેદનો બાદમાં જડની જેમ પડયા રહેતા હોય છે આવેદનપત્રના દરેક કિસ્સાઓમાં ખાસ કોઇ પગલા લેવાયા હોય, કાયમી વ્યવસ્થા થઇ હોય, કાયદા બન્યા હોય કે નિતી (પોલીસી) બદલી હોય, તેવું તો શોધવા જવુ પડે તેમ છે કેમ કે કોઇપણ માંગો અન્યાય, જરૂરીયાત અંગે આવેદન આપવા સામાજીક સંસ્થા, ગૃપ, મંડળ, સોસાયટી, રાજકીય પક્ષો, વ્યવસાયીક વર્ગો વગેરે જહેમત તો ઉઠાવે છે પરંતુ દરેક કિસ્સામાં આશ્વાસન મળ્યા બાદ કાયમી ઠોસ નિકાલ થતા નથી.
-કાયદો-વ્યવસ્થા-સલામતી-ટ્રાફીક માટે ઝુંબેશ
ખાસ કરીને કાયદો-વ્યવસ્થા કથળતા હોય છે, સલામતીના પ્રશ્નો થતા હોય છે, ટ્રાફીક સમસ્યા હદ બહાર વકરતી હોય, નડતરો વધતી હોય, દબાણ વધતા હોય અને રજૂઆતો બાદ તંત્ર દાદ દેતુ ન હોય ત્યારે લોકો એકઠા થઇને સતાવાળાઓને આવેદનપત્ર પાઠવે છે જાગૃત લોકો માટે જાગૃતિ અને રજૂઆત કરવાનો લોકશાહીનો હક્ક જરૂરી છે તેનો ઉપયોગ કરવો જોઇએ એટલુ જ નહી આવા પ્રશ્નોના નિકાલ ન થાય ત્યાં સુધી તે વિષય પાછળ રહી ફોલોઅપ લેતા રહેવુ જોઇએ માત્ર આવેદન આપીને બેસી રહેવુ પુરતુ નથી.
-પોલીસ સંબંધી આવેદન-રજૂઆત એસપી સાથે સાથે કલેકટરને જરૂરી
જે શહેરોમાં પોલીસ કમિશ્નર નથી ત્યાં કાયદો વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા એસ.પી.ની કામગીરી તેમના વિભાગની કામગીરી અંગેનો અભ્યાસ કલેકટરના તાબા હેઠળ છે માટે પોલીસ સંબંધી જે આવેદનપત્રો પાઠવવામાં આવે છે તે તેમજ જેલ સંબંધી કોઇ આવેદન હોય, મહીલા સુરક્ષા, બાળ સુરક્ષા સંબંધી આવેદનો એસ.પી. કચેરીની સાથે સાથે જિલ્લા કલેકટર કચેરીએ પણ આપવા જરૂરી છે જેથી તેમના ઘ્યાનમાં પણ એ વિષય આવી જાય અને કાર્યવાહી કરવાની દિશામાં કંઇ થઇ શકે તમામ સલામતી, સુરક્ષા, ત્રાસ, અન્યાય સંબંધી આવેદનો અને જગ્યાએ આપવા જોઇએ.
-મોટાભાગે સ્થાનીક પ્રશ્નો હોય છે, કો’ક જ ઉપર મોકલવા પડે છે: પાણી-અછત-ઢોર ઢાંખર-સહાય ના હાલ વધુજુદી જુદી સરકારી કચેરીઓમાંથી જાણવા મળતી વિગત મુજબ કચેરીઓમાં રજૂ થતા આવેદનો સ્થાનિક પ્રશ્નો હોય છે કયાંક ખનીજ ચોરી, કયાંક પાણી ચોરી, કયાંક વધુ તસ્કરી, કયાંક સલામતીના અભાવ, કયાંક પગારના પ્રશ્ર્નો, કયાંક સરકારી જોગવાઇ-કાયદાના અમલ ન થવાના મુદો, કયાંક દબાણના પ્રશ્નો, કયાંક અન્યાયના પ્રશ્નો, કયાંક ભ્રષ્ટાચારના નથી હોતા માટે કો’ક જ ઉપર મોકલવા પડે છે. હાલ પાણી, અછત, સહાય, ઢોર ઢાંખરને લગત હાલ વઘ્યા છે.
-સરકારની આડકતરી મનાઇ ‘સીધે સીધા ફોરવર્ડ ન કરો’
અત્યંત ખાનગીરાહે જાણવા મળ્યા મુજબ સરકારની આમ તો આડકતરી મનાઇ જ છે કે ‘સીધે સીધા આવેદન પત્રો ફોરવર્ડ ન કરી દો, સ્થાનીક રીતે જોઇ લો, ખાસ કોઇ રેર કિસ્સામાં જ જરૂર પડયે માત્ર સરકારનું ઘ્યાન દોરવુ કેમકે સ્થાનીક વિભાગોના વડાઓની કચેરી જિલ્લાકક્ષાએ હોય જ છે સ્થાનીક પ્રશ્નો નિકાલ કરવા જરૂરી છે’ આમ જોઇએ તો મોટાભાગના દફતરે થઇ જાય છે અને લગત વિભાગને યોગ્ય કરવાની સુચના સાથે મોકલાય છે બાદમાં અહેવાલ મંગાવવાની ખાસ કંઇ જહેમત ઉઠાવવામાં આવતી નથી વળી જિલ્લાકક્ષાએ દરેક કચેરીના વડા સમાહર્તા હોય જ છે માટે સરકારે તેમની જવાબદારી આવા કિસ્સામાં નિર્ણય લેવા ફીકસ કરી છે.