Mysamachar.in-જામનગર
કોઇ પણ સોસાયટી વિસ્તાર ગામ શહેર વગેરેના વિકાસ ઉપર તો રાષ્ટ્રનો વિકાસ નિર્ભર છે માટે જો અંતિમ ઘર અંતિમ ગલી અંતિમ વિસ્તાર સુધી વિકાસને લઇને પહોંચવુ જોઇએ તેમ જણાવી છેવાડાના માનવી સુધી પહોંચવાની હાંકલ જામનગર ઉતરના સક્રિય ધારાસભ્ય હકુભા જાડેજાએ ઝીલતા આ યુવા નેતાની યશકલગીમા વધુ એક છોગુ એ ઉમેરાયુ છે કે એક તો તેમને જન જન ની જરૂરીયાતની ચિંતા છે માટે ક્યા શુ સુવિધા કરવાની છે તેનો પણ સુપેરે ખ્યાલ છે બીજુ તેઓ એ ગ્રાન્ટનો 100% સદઉપયોગ કર્યો છે અને હંમેશા તેમણે કરાવેલા ખર્ચ જન સુવિધાઓ કરવાની સાથે બીજા માટે પ્રેરક બને છે જે બાબત તેમની આગવી સુઝ દર્શાવે છે તેમ રાજકીય વિશ્લેષકો જણાવે છે વળી લાખો રૂપીયાના નાના મોટા સીમેન્ટ રોડ માટે ગ્રાન્ટ ફાળવી સરકારના ધ્યેય સાથે કદમ મિલાવી જામનગર ઉતરના ધારાસભ્ય જાડેજાએ અંત્યોદયને સાકાર કર્યુ છે,
-વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી છે ઇમ્પ્રેસ તો અમીત શાહ છે માર્ગદર્શક, પાટીલ ભાઉ અને ભુપેન્દ્ર પટેલ તરફથી મળે છે નૈતિક બળ..
આ તકે ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) એ જણાવ્યુ છે કે જ્યા માનવી ત્યા સુવિધાને સાકાર કરવા મને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ, સીઆરપાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પાસેથી અવિરત પ્રેરણા મળે છે અને ઉમેર્યુ છે કે માટે જ લોક સંપર્ક વિસ્તાર સંપર્ક મીટીંગો આયોજનો દરેક વખતે તે દિશામા જ વર્ક આઉટ કરવામા આવે છે તેથી સર્વાંગી વિકાસ થઇ શકે તેમજ જન સેવા થી જન આશીર્વાદ જ મારૂ હંમેશા ધ્યેય છે તેમ આ મુઠી ઉચેરા અને લોકપ્રિયતાની બુલંદી ધરાવતા ગુજરાત સરકારના પુર્વ પુરવઠામંત્રીએ એક મુલાકાતમા જણાવ્યુ છે તેમજ બીજી તરફ જોઇએ તો જરૂરીયાત મુજબ કામોને અગ્રતા આપવીએ સુઝકો રાજકીય અને સામાજીક જાહેર જીવનની વ્યક્તિનુ જમા પાસુ ગણાય છે, ત્યારે હકુભા માટે આવા અનેક ઉદાહરણો આપી શકાય તેમાંથી એક જોઇએ તો તેમના અનુદાનથીજામનગરમાં વોર્ડ નં. 2 માં રૂા. 44 લાખના ખર્ચે જુદા-જુદા વિસ્તારમાં સી.સી. બ્લોક અને સી.સી. રોડના કામ થવાના છે તેમજ તેમની વિનમ્રતા જુઓ કે આ ખુબજ જરૂરી ખાતમુહુર્ત જામનગર 78 વિધાનસભાના પ્રભારી હિરેન પારેખના હસ્તે તેમણે કરાવ્યુ હતુ,
-આભાર વ્યક્ત કરતા મેયર બીનાબેનએ જણાવ્યુ કે સંતુલીત વિકાસએ હકુભા જાડેજાનુ છે વિઝન
જામનગર 78 વિધાનસભા વિસ્તારમાં રહેતા લોકોની સુખાકારીમાં વધારો થાય અને શહેરના રાજમાર્ગોની સાથે શહેરી ગલીઓના રસ્તા પણ સી.સી. રોડથી મઢવા માટે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા) ને મળતી ગ્રાન્ટમાંથી વોર્ડ નં. 2 માં રૂ. 44,98,989− વિકાસ કામોનું ખાતમુહુર્ત કરતા મેયર બીનાબેન કોઠારીએ ધારાસભ્ય પ્રત્યે આભારની લાગણી વ્યકત કરતા જણાવ્યું હતું કે, વોર્ડ નં. ૨નાં અનેક સી.સી. રોડોના કામના લીધે વોર્ડ નં. 2 વિકાસની હરોળમાં આવતો થયો છે. વોર્ડ નં. 2 માં જુદા-જુદા વિસ્તારોમાં શેરીગલ્લીઓમાં વસ્તા લોકોની રસ્તા અંગેની રજુઆતને ધ્યાને લઈ ધારાસભ્ય તરીકે આ વિસ્તારમાં 10%, 20% અને 100% સુધી ગ્રાન્ટની ફાળવણી કરીને અનેક વિકાસના કામોના ખાતમુહુર્ત જામનગર 78 ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા)એ કરાવ્યા છે તેમ જણાવ્યું હતું. તેઓએ એ વાતની પણ જાહેરાત કરી હતી કે, ખાતમુૂર્ત કરીને સંતોષ વ્યક્ત કરવાને બદલે ગુણવતા યુકત અને સમયમર્યાદામાં વિકાસના કાર્યો પૂર્ણ થાય તે ઉદેશ પણ તેમનો રહ્યો છે. તેમજ સંતુલીત વિકાસનો તેમનો અભિગમ હંમેશા રહ્યો છે,
-જામનગર શહેર ભાજપ પ્રમુખ અને પ્રભારીએ વિશેષતા બદલ બિરદાવ્યા…
આ ખાતમુહુર્ત કરતાં જામનગર શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલ કગથરા તથા જામનગર 78 વિધાનસભા વિસ્તારના પ્રભારી હિરેન પારેખએ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) દ્વારા તેમના વિસ્તારમાં નાનીમોટી શેરીગલીઓ અને મુખ્ય રસ્તાઓના વિકાસના કામો અંગે સતત ચિંતા કરી છે અને તેમને મળતી ગ્રાન્ટનો ઉપયોગ 100% વિકાસના કામોમાં કરવામાં આવે છે. તે બદલ ઘારાસભ્ય ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા)ને અભિનંદન આપ્યા હતા. શહેર ભાજપના મહામંત્રી વિજયસિંહ જેઠવાએ પણ તેમના વોર્ડ નં. 2માં ધારાસભ્ય દ્વારા ફાળવવામાં આવેલ ગ્રાન્ટને લઇને બિરદાવ્યા હતા.
-.આ કામોથી ક્યા-ક્યા બનશે રોડ…?
ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકૂભા) દ્વારા વોર્ડ નં. ૨માં રૂા. 44,98,898– વિકાસના ક્રમોના ખાતમૂહુર્ત કરેલ હતા, જેમાં પુનીતનગર ક્લમાના ઘરવાળી શેરીમાં સી.સી.રોડનું કામ, ધરારનગર-1, અબુ હનીફા મસ્જીદ પાસે જાફરભાઈના ઘરવાળી શેરી તથા ઈબ્રાહીમભાઈ બ્લોચના ઘરવાળી શેરીમાં સી.સી.બ્લોકનું કામ, મોટી મસ્જીદ પાસે, પાનની દુકાનથી સામેની શેરીમાં સી.સી.રોડનું ક્રમ, ત્રણ માળીયા આવાસ વાળા મેઈનરોડમાં સી.સી.રોડનં કામ, નંદનવન પાર્ક 1, રિધ્ધિ સિધ્ધિ બંગલોઝની સામે સી.સી.બ્લોકનું કામ, ગાંધીનગર ગાયત્રીમંદિર પાછલા ગેઈટથી હિતેશભાઈ વસાણીના ઘર સુધી સી.સી.રોડનું કામ, ગાંધીનગર ઈ–17વાળી શેરીમાં સી.સી.રોડનું કામ, મચ્છરનગર, આશાપુરા મંદિર સામે સરસ્વતી સ્કુલવાળી શેરીમાં સી.સી.રોડનું કામ, ગંગેશ્વર મહાદેવ મંદિરની આસપાસમાં સી.સી.રોડ તથા સી.સી.બ્લોકનું કામ તેમજ નવજીવન સોસાયટી પાસે, આશાપુરા એન્ટરપ્રાઇઝવાળી શેરીમાં સી. સી. બ્લોકનું કામ, પુનીતનગર શેરી નં. 2 માં જમા નડીયાવાળા ઘર પાસેની 2 શેરીમાં સી. સી. બ્લોકનું કામની સાથે બે મંદિરોના રીનોવેશનના કામનું પણ ખાતમુહુત કરવામાં આવેલ હતું જેમાં રાંદલનગરમાં રાંદલ માતાનું મંદિર અને ધરારનગર–2, રામાપીરના મંદિરમાં રીનોવેશનનું કામોનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.