Mysamachar.in-જામનગર:
જામનગર શહેરના પાણાખાણ નજીક આવેલ ગરીબનગર વિસ્તારમાં બે મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યાની ફરિયાદ નોંધાઈ છે, મળતી વિગતો મુજબ નિવૃત જીવન જીવતા મોહમદ થૈયમના ઘરમા રાત્રીના પ્રવેશ કરી રૂમમા આવેલ લાકડાના કબાટમા રહેલ રોકડ રૂપીયા 90,000, કાનમાં પહેરવાની ત્રણ જોડી સોનાની બુટ્ટી જેની કિંમત રૂપીયા 58,800, એક સોનાની જુનવાણી બુટ્ટી જેની 25000 તેમજ મોહમદભાઈના પાડોશીના ઘરમા રહેલ વિવો કંપનીનો Y20A મોબાઈલ જેની કીમત 7000 એમ બન્ને ઘરમાંથી કુલ એક લાખ એસી હજારની મતાનો મુદ્દામાલ કોઈ અજાણ્યા ચોર ઈસમે રાત્રીના સમયે ફરીયાદી તેમજ તેમના પાડોશીના ઘરમા ગુપ્ત અપ-પ્રવેશ કરી ચોરી કરી નાસી જતા પોલીસે તપાસ આદરી છે.