Mysamachar.in-જામનગર:
પીજીવીસીએલ જામનગર વર્તુળ કચેરી, ખાતે પીજીવીસીએલ નિગમિત કચેરીના મેનેજિંગ ડીરેક્ટર પ્રીતિ શર્મા, (આઇ.પી. એન્ડ ટી.એ.એફ.એસ.) એ વિઝીટ કરી હતી જેમાં પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર તથા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કાર્યપાલક ઇજનેરો હાજર રહ્યા હતા, મુલાકાત દરમ્યાન તેઓ દ્વારા પીજીવીસીએલને લગત વિવિધ કામગીરીઓની સમિક્ષા કરવામાં આવેલ. જેમાં પીજીવીસીએલ કંપનીના વીજ ગ્રાહકોને ચોમાસા સહિતના દિવસોમાં ગુણવત્તાસભર વીજ પુરવઠો અવિરત મળી રહે તે માટે હયાત વીજ માળખાને સુદ્રઢ કરવા માટેની આરડીએસએસ યોજના અને અન્ય યોજનાઓ અંતર્ગત એમવીસીસી પ્રોજેકટ હેઠળ હયાત વીજ લાઇનમાં કવર્ડ કેબલ નાખવાની કામગીરી ઝડપી રીતે પૂર્ણ થાય તેના પર ભાર મુકવામાં આવેલ અને હાજર અધિકારીઓને આ અંગે તાકીદ કરવામાં આવેલ હોવાની વિગતો જાહેર થઇ છે,
આ ઉપરાંત, તેમજ સ્માર્ટ વીજ મીટર યોજનાની સ્થિતિ, વીજ લાઈનોના સમારકામ, તથા માલ-સામાનની સમિક્ષા કરવામાં આવેલ. તેમજ અરજદારઓ દ્વારા માંગવામાં આવતાં નવા વીજ જોડાણો ખાસ કરીને એચટી અને ઔદ્યોગિક વીજ જોડાણો આપવાની કામગીરી વિના વિક્ષેપે ઝડપી ધોરણે આપવામાં આવે તે અંગે ખાસ તાકીદ એમ.ડી એ તેવોની મુલાકાત દરમિયાન અધિકારીઓને કરેલ હોવાનું જાણવા મળે છે.