Mysamachar.in:જામનગર
જીવનરૂપી જળ ધીમે ધીમે ઘટશે અને પેંકીંગમા મળશે…..તો શુ થાય ? આ કલ્પના પણ ધ્રુજાવી જાય છે….તેનો ઉપાય એક જ છે પાણી સંચય, પાણી કરકસર, પાણી તળ વધુ ઉપર આવે તેના પ્રયત્ન, જમીન ખારાશ અટકાવવા વોટર હાર્વેસ્ટીંગ માટે માત્ર આજથી જ નહી અત્યારથી જાગવાની દોડવાની જરૂર છે ને નાગરીકો માટે અને પ્રાકૃતિક સંપદા જાળવવા જળ સંચયને વૃક્ષારોપણ ખરેખર મજબુત રીતે કરી વર્ક આઉટ કરવાની જરૂર છે ત્યારે નગરના અભ્યાસુઓ કહે છે કે સરકારી યોજના તો છે જ પરંતુ જાતે પણ ચિંતા કરી માત્ર અખબારી યાદી પુરતુ ફોટોગ્રાફી વિડીયો ગ્રાફી પુરતુ ભાષણો આપવા પુરતુ સિમિત ન રાખી કે સોશ્યલ મીડીયામા રૂપકડા લખાણ માત્ર કરવા ને બદલે અટલ ભૂજલ મિશન યાદગાર બનાવો – જામનગર ફરતે છ સાત તળાવ બનાઓ તે જરૂરી છે કેમકે
જામનગર શહેર જિલ્લાના દરેક શાસકો એટલે કે શાસન પ્રસાશન બંને તરફ પ્રજાની મીટ છે અને જળસંચય અને જળ પુરૂ પાડવુ તે ફરજીયાત હોઇ નાગરીકોને બંધારણીય હક આપો તે સમયની માંગ છે નહી તો ભવિષ્યમા પાણી માટે ઝઘડા થશે, નગર ફરતે ઘણી જગ્યાઓ છે તળાવ બનાવી પાળી કરી વૃક્ષારોપણ કરી કોટેજ કે ગાર્ડન રેસ્ટોરાના પ્લોટ બનાવી સરકારી પડતર કા ટી.પી.સ્કીમ ની મળેલી ફાજલ જગ્યામા જલક સંચય ના કુવા બોર ટાંકા તળાવ વગેરે બનાવો તો નગરજનો ની ને પ્રકૃતિની સાચી સેવાને જાળવણી થશે.
હા, વિકાસ સગવડતા વગેરે વાત કરીએ તો ફ્લાય ઓવર, નલ સે જલ, ભુગર્ભગટર, રોડ, નવા બસ સ્ટેન્ડ બસ પોર્ટ (એક થશે કે બે તે માટે મુંઝવણ છે…) વગેરે જરૂરી જ છે સાથે પાણી માટે ખાસ કઇક સતાવાળા કરે તેવી અભ્યાસુ લોકોની પ્રબળ માંગ છે, આ માંગનુ કારણ એ છે ચોમાસુ ગમે તેટલુ ભરપુર જાય ફેબ્રુઆરી આવે ને ફડકો પડે કે ઉનાળામા શુ થશે? માટે સવાલ સહેજે થાય કે વેરા ફી દંડ ચાર્જ સરચાર્જ ડ્યુટી સેસ વગેરે લેનારાઓ આ ઓછા ખર્ચમા થનાર તળાવો બનાવવાના કામ કરવાનો વિચાર કાં નથી આવતો? વર્ષે પાણી માટે ને ગટર માટે 40 ટકા બજેટ વપરાય છે તો પછી જળસંચયના કામ કા વધતા નથી ? પાણી માટેના કામની જગ્યાએ ખર્ચ સુવિધા ફાયદો શુ થશે? તે બોર્ડ કાયદા મુજબ મુકો…..અને પાણી જાળવવા મેળવવા શુ કરશો તે જાહેર કરો….નલ સે જલ માટે પાણી તો જોશે ને? બસ આ સવાલ ના ઉતર તરફ જાવ તો ઘણા રચનાત્મક વિચારો આવશે.
મારા સાહેબ મનપાને સીટી મામલતદારે જ્યારે શહેરની સ્થાવર મિલકત કાયદા મુજબ સોંપી ત્યારે 110 કુવા પણ સોંપ્યા હતા…..એની હાલત શુ છે?? એસ્ટેટ ટીપીઓ સિવિલ….તમે ફંફોળો…..અને પ્લાનીંગમા લો…આ સાવ તૈયાર છે તે કુવા બોર રિચાર્જ કરો તેને બાંધો સલામતી માટે અને રક્ષણ કરો….તો ય જમીન સચવાશે, પાણી સચવાશે અને મોડેલ સ્ટેટમા મોડેલ સીટી બનાવો…સ્માર્ટ સીટીમા જળ જમીન પર્યાવરણ સૌ પ્રથમ મજબુત કરવાનુ નક્કર કામ કરો, બજેટેડ બે પાંચ સોસાયટીના કરોડોના ખર્ચે વોટર હાર્વેસ્ટીંગ કરો એ જરૂરી છે પરંતુ તળાવો બનાવશો તો ખાસ કઇ ખર્ચ ભારે નહી પડે અને બે ચાર કોર્પોરેશન બનાવે બે ચાર સંસ્થાઓ બનાવે…અપીલકરો….લોકભાગીદારી કરો……બજેટમા ખાસ જોગવાઇ કરો……એટલે ભયો…ભયો.
-આ જળસંચય તળાવ બનાવવા વગેરે વિષયનો મુળ પાયો…મુળ પ્રેરણા…..
આગામી 13 થી 27 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યભરમાં ‘અટલ ભૂજલ યોજના’ હેઠળના વિસ્તારોમાં ‘અટલ ભૂજલ પખવાડિયું’ ઉજવવામાં આવશે. જેનો શુભારંભ પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તા.13 ફેબ્રુઆરી,2023ના રોજ નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતેથી કરાવશે. આ પ્રસંગે રાજ્યકક્ષાના પાણી પુરવઠા મંત્રી મુકેશભાઈ પટેલ, વગેરેઉપસ્થિત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા, જળસંપત્તિ, પાણીપુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળના ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમ લિમિટેડ, ગાંધીનગર દ્વારા ‘અટલ ભૂજલ યોજના’નો રાજ્યમાં અમલ કરવામાં આવી રહ્યો છે. આ યોજના હેઠળ રાજ્યમાં ભૂગર્ભ જળ નીચા ગયા છે તેવા ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાઓના 36 તાલુકાઓના 1873 ગ્રામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
‘અટલ ભૂજલ યોજના’નો મુખ્ય ઉદ્દેશ ભૂગર્ભ જળ વ્યવસ્થાપન માટેના માળખાને મજબૂત કરવાનો છે, જે અંતર્ગત ભૂગર્ભ જળના આંકડા અને માહિતી અંગે ગ્રામ સમુદાયોને સાચી અને યોગ્ય સમજ આપવામાં આવે છે. આ સમુદાયની આગેવાની હેઠળ વોટર સિક્યુરિટી પ્લાનનું આયોજન કરવામાં આવે છે, જેમાં સમાવિષ્ટ કરાયેલા કામોનું સરકારના વિવિધ વિભાગો દ્વારા અમલીકરણ કરવામાં આવે છે. જિલ્લા કક્ષાએ યોજનાના અમલમાં ભાગીદાર તરીકે સ્વૈચ્છિક/બિન સરકારી સંસ્થાઓના સહયોગથી પ્રેરણા, લોકજાગૃતિ અને ક્ષમતાવર્ધન કરવામાં આવે છે. આ યોજનાના અમલ હેઠળના જિલ્લાઓમાં પાણી પુરવઠો વધારવા નવા ચેકડેમ, કૂવા રિચાર્જ, તળાવો ઊંડા કરવા સહિતના કામો કરવામાં આવે છે. તેમજ પાણીની માંગ ઘટાડે તેવા કાર્યક્ષમ ઉપયોગ માટે સૂક્ષ્મ પિયત પદ્ધતિ તેમજ અન્ય ઉપાયો અપનાવવા ઉપર ભાર મૂકવામાં આવે છે.