Mysamachar.in:જામનગર
જામનગર જીલ્લાના ભરતપુર ગામ નજીક ઉંડ નદીના કાંઠા પાસેથી ગત સાંજે એક યુવક અને યુવતી ઝેરી દવા પીધેલ હાલતમાં મળી આવતા સારવાર અર્થે જીજી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં બન્નેનું મોત નીપજ્યું હતું, જે બાદ પંચકોશી એ ડીવીઝન પોલીસ ઘટના સ્થળે દોડી અને તપાસ હાથ ધરી હતી, જે તપાસ બાદ આજે સવારે પંચકોશી એ ડીવીઝન પોલીસે મૃતક યુવતીના પિતાએ જાહેર કરેલ વિગતો જાહેર કરી છે તેમાં સામે આવ્યું છે કે…
મૃતક યુવતીના પિતા કાનજીભાઈ સવાસડીયાએ પોલીસ સમક્ષ જાહેર કર્યું કે અજયભાઇ ભુપતભાઇ સવાસડીયા ઉવ 26 જે તેમના ઘરે રહેતો હોય અને તેમની દિકરી સુધા કાંનજીભાઇ સવાસડીયા ઉવ 19 તથા અજય વચ્ચે પ્રેમ સબંધ થઈ ગયેલ હોય જે કાનજીભાઈની જાણ બહાર હોય અને તેની દિકરીની સગાઇ ત્રણેક માસ પહેલા ધ્રોલ તાલુકાના કરાંભડી ગામે કરેલ હોય અને આ બન્ને જણા એકબીજા પ્રેમ કરતા હોય અને પીતરાઇ ભાઇ બહેન થતા હોય જેથી તે લગ્ન કરી સાથે રહી શકે તેમ ન હોય જે બાબતે તેની દિકરી સુધાને તથા તેના ભત્રીજા અજય બન્ને જણાને મનમા લાગી આવતા બન્ને જણાએ કોઇ ઝેરી જંતુનાશક દવા પી લેતા જામ.જી.જી હોસ્પીટલમાં સારવાર લઈ જતા બન્નેના મોત નીપજ્યાનું જાહેર થયું છે.