Mysamachar.in:જામનગર
જામનગર મહાનગરપાલિકાએ જાહેર કર્યું છે કે, શહેરનાં ગોકુલનગર સહિતનાં કેટલાંક વિસ્તારોમાં સોમવારે, 28મી ઓગસ્ટે પાણી વિતરણ થઇ શકશે નહીં કેમ કે, પાણીની એક નવી પાઈપલાઈન બિછાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કોર્પોરેશને કહ્યું છે: ગોકુલનગર ઝોન વિસ્તારમાં સરકારની નલ સે જલ યોજના અંતર્ગત 700 mm ડાયામિટરની લાઈનનું પાણીની મુખ્ય પાઈપલાઈન સાથે જોડાણ કરવાનું હોય, ગોકુલનગર ઝોન હેઠળ આવતાં વિસ્તારો શિવનગર, શ્યામનગર, નારાયણનગર, નવાનગર, ખાખીનગર, મુરલીધરનગર, રાજ રાજેશ્વરી સોસાયટી, વિજયનગર, સીતારામ સોસાયટી, સોહમનગર, બાલ મુકુંદ સોસાયટી, સુભાષનગર, મુરલીધર સોસાયટી, શીતલ પાર્ક, સિદ્ધાર્થનગર, કૈલાશનગર, પ્રમુખ સ્વામી પાર્ક, સમર્પણ પાર્ક, મોહનનગર અને ઓશવાળ સોસાયટી વગેરે વિસ્તારોમાં સોમવારે, 28 ઓગસ્ટે પાણી વિતરણ કરવામાં આવશે નહીં. આ વિગતો પ્રમાણે, પ્રથમ બંધ રહેલાં ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે અને ત્યારબાદ રૂટીન લગત વિસ્તારોમાં રાબેતા મુજબ પાણી વિતરણ થશે.