Mysamachar.in-જામનગર:
જામનગર નજીક પંચકોશી એ ડીવીઝન પોલીસ મથક વિસ્તાર હેઠળ આવતા ધુતારપુર ગામે ત્રણ સ્થળોએ ચાર તસ્કરોએ ચોરીને અંજામ આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં 4 તસ્કરો ચોરી કરી રહ્યાનું સીસીટીવીમાં પણ રેકોર્ડ થયું છે, આ ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલવામાં જામનગર સ્થાનિક ગુન્હા શોધક શાખાને સફળતા મળી છે, આ ચોરીના બનાવમાં ચાર જેટલા તસ્કરોએ ધુતારપુર ગામે ફરીયાદિ મનીષ ગઢવીની દુકાનનુ શટર તોડી દુકાનમાં પ્રવેશ કરી શટર તથા દરવાજાનો કાચ તોડી નુકશાન કરી દુકાન અંદરથી ચાંદીના દાગીના આશરે 3 કીલો 590 ગ્રામના કિ.રૂ.1,75,000 ની ચોરી કરી તેમજ ગામમાં જ અન્ય રસીકભાઈ વડેચાની દુકાન તોડી દુકાનમાં થી આશરે આઠેક હજારની કિંમતના જીન્સ-ટીશર્ટ વિગેરે કપડાની ચોરી કરી તેમજ ગામમાં જ વસવાટ કરતા નરેશભાઈ રાઠોડના ફળીયામાં પ્રવેશી ફળીયામાં રાખેલ સ્પેન્ડર મો.સા. રજી.નં. જી.જે.-10-બી.પી.-3755 10,000 ની ચોરી કરી આરોપીઓએ ગુનામાં એકબીજાની મદદગારી કરી કુલ રૂ.1,93,500 ની માલ મતાની રાત્રીની ઘરફોડ ચોરી કરી નાસી જતા પોલીસ ધંધે લાગી હતી પણ અંતે આ ગુન્હાનો ભેદ ઉકેલાઈ ગયો છે.
આ ગુન્હાની તપાસ દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના નિર્મળસિંહ જાડેજા, ધાનાભાઇ મોરી ફિરોઝભાઇ ખફી, યોગરાજસિંહ રાણા કિશોરભાઇ પરમાર નાઓને સંયુકત બાતમીદારથી હકિકત મળેલ કે,આ ચોરીને અંજામ આપનાર ઇસમો જામનગર ચાંદી બજારમાં ચોરીના દાગીના વેચવા માટે આવેલ છે. જે હકિકત આધારે જામનગર ચાંદી બજારમાંથી કરણ રમશેભાઇ તડવી રહે.અગાસવાણી ગામ કોળીયાર ધાનપુર જી દાહોદ હાલ રંગપર ગામ ના પડધરી, દિલીપ અભેસીંગભાઇ મિનામા રહે.ધોડાજર, તા ધાનપુર રુ દાહોદ ગલ રહે. શામપર તા જોડીયા જી જામનગર, નટવરભાઇ રામસીંગભાઇ ભુરીયા ધંધો-ખેત મજુરી ધોડાજર, તા.ધાનપુર જી દાહોદ આ ત્રણ ઇસમોને પકડી ચાંદીના દાગીના 1 કિલો 705 ગ્રામ- કિ.રૂ. 81000 કપડા જેમા જીન્સ પેન્ટ તથા ટીશર્ટ કિ.રૂ 3200 મોબાઇલ ફોન-03 કિ.રૂ.10500 કબજે કરવામાં આવ્યા છે.