Mysamachar.in-જામનગર;
જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના માછરડા ગામે સબંધોની હત્યાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે, જેમાં આરોપીના પિતાના અવસાન બાદ રિસામણે બેઠેલ પત્ની કે સાસરિયાઓ ખરખરે ના આવતા ગુસ્સે ભરાયેલા આરોપી પતિએ પોતાના સાળા પર જીવલેણ હુમલો કરી હત્યા નીપજાવી સસરા અને પત્ની પણ જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ રિસામણે બેસેલ પત્નીએ પોતાના પતિ સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાવી છે તેની વિગતો પર નજર કરવામાં આવે તો…
આ કેસમાં ફરીયાદી તૃપ્તીબા છેલ્લા બે એક વર્ષથી પોતાના બન્ને સંતાનો સાથે પોતાના માવતરે કાલાવડ તાલુકાના માછરડા ગામે રીસામણે આવેલ હોય જે બાબતે આરોપી એવા તૃપ્તિબાના પતિ નરેન્દ્રસિંહ ઉર્ફે જીહો હરપાલસિંહ ઝાલા પોતાની પત્ની તૃપ્તિબા અને તેના પિતા શક્તિસિંહ ભાઇ મરણજનાર ઇન્દ્રજીતસિંહ જાડેજાને ફોનમા ફોન કરી જેમ ફાવે તેમ ભુંડા ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હોય અને અવાર નવાર ફરીયાદીને ભુંડા ગાળો બોલી ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી પહેરેલ કપડે કાઢી મુકેલ હોય એવામાં ગત 8 ઓગસ્ટના રોજ આરોપી નરેન્દ્રસિંહ ઝાલાના પિતા હરપાલસિંહ ભગવતસિંહ ઝાલા અવસાન થતા જે બાબતે તૃપ્તિબા કે તેના માવતર પક્ષના કોઇ પણ સભ્ય ખરખરે ગયેલ ન હોય જે વાતનુ આરોપી પતિ નરેન્દ્રસિંહ ઝાલાને મનમા ખુબ જ વેર હોય જે વાતનુ વેર મનદુખ રાખી ગતરોજ વહેલી સવારના આશરે સાડા ત્રણ થી ચારેક વાગ્યાની આસપાસ આરોપી કોઇ પણ વાહનમા કોઇ પણ જગ્યાએથી પોતાની રિસામણે બેસેલ પત્નીના ઘરે તેના પિતા શક્તિસિંહ તથા તૃપ્તિબાના ભાઇ મરણજનાર ઇન્દ્રજીતસિંહને જાનથી મારી નાખવાના ઇરાદે…
ફરીયાદીના રહેણાક મકાને ઓસરીમા રહેલ જાળી કોઇ પણ અવાજ કર્યા વગર તેમજ કોઇને ખબર ન પડે તે રીતે ખોલી છુપાતા છુપાતા ફરીયાદી જે રૂમમા સુતા હતા તે રૂમમા ગુનો કરવાના ઇરાદે ગેરકાયદેસર પ્રવેશ કરી તૃપ્તીબાના પિતા શક્તિસિંહને જાનથી મારી નાખવાના ઇરાદે છરી જેવા જીવલેણ હથીયાર વડે હુમલો કરી તેમજ શક્તિસિંહને ડાબી બાજુ પેટના ભાગે છરીનો જીવલેણ ઘા મારી લોહી લુહાણ કરી તથા ફરિયાદી તૃપ્તિબા બચાવવા વચ્ચે પડતા તેના બન્ને હાથની હથેળીમા છરીના એક એક ઘા મારી લોહી લુહાણ કરી બન્ને હથેળીમા પાંચ-પાંચ ટાકા જેવી ઇજાઓ કરી તથા તૃપ્તિબાના ભાઇ ઇન્દ્રજીતસિંહ શક્તિસિંહ જાડેજા ઉ.વ.36 વાળા વચ્ચે પડતા ઇન્દ્રજીતસિંહને જાનથી મારી નાખવાના ઇરાદે છરી જેવા જીવલેણ હથીયાર વડે ડાબા પડખાના ભાગે હદયની બાજુમા જીવલેણ ઘા મારી લોહી લુહાણ કરી તથા તૃપ્તિબા તથા માનકુંવરબા વચ્ચે પડતા તેઓ બન્નેને આરોપીએ જેમફાવે તેમ ભુંડાગાળો બોલી ઢીકા પાટુનો માર મારી તમામને ભુંડા ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી તૃપ્તિબાના પિતા શક્તિસિંહ તથા તેના ભાઇ મરણજનાર ઇન્દ્રજીતસિંહ ઉપર જાનથી મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કરી બન્નેને ગંભીર જીવલેણ ઇજાઓ પહોચાડી ભાઈ ઇન્દ્રજીતસિંહનુ સારવાર દરમ્યાન મોત નીપજાવી ખુન કરી ફરાર થઇ જતા કાલાવડ ગ્રામ્ય પોલીસ આરોપીને શોધવા ફાંફા મારતી હતી પણ જામનગર એલસીબીને હાથ આરોપી લાગી ચુક્યો છે.
આ ખૂન તથા ખુનની કોશીશ અંગેના ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડવા માટે ગુન્હા વાળી જગ્યાની વિજીટ કરી, આજુબાજુના સીસીટીવી ફુટેજો ચેક કરવામા આવેલ અને ટેકનીકલ સર્વેલન્સની મદદ લેવામાં આવેલ હતી, આ દરમ્યાન એલ.સી.બી.ના યશપાલસિંહ જાડેજા, સંજયસિંહ વાળા તથા અજયસિંહ ઝાલાને સંયુકત રીતે ખાનગી હકિકત મળેલ કે આ ગુનામાં સંડોવાયેલ આરોપી નરેન્દ્રસિંહ હરપાલસિંહ ઝાલા રહે ગંજેળાગામ તા.ધ્રાગધ્રા જી.સુરેન્દ્રનગર વાળો હાલ જામનગર શહેરમાં વિક્ટોરીયા પુલ પાસે આવેલ બસ સ્ટેન્ડ પાસે વાહનની રાહ જોઇને બેઠેલ છે. જેથી વિટકોરીયાપુલ પાસે બસ સ્ટેન્ડ પાસે તપાસ કરતા મજકુર આરોપી મળી આવતા પીએસઆઈ સી.એમ.કાંટેલીયાએ હસ્તગત કરી સીટી બી પોલીસ સ્ટેશનમાં સોંપી આપી આગળની કાર્યવાહી થવા માટે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકને આ અંગે જાણ કરવામાં આવેલ છે.