Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં નવી વરાયેલ ટીમ ચેરમેન મૌલિક નથવાણીની રાહબરીમાં કઈક નવુ કરી ખેડૂતો વેપારીઓ અને મજુરો સહિતના હિતો માટે સતત જાગૃત છે, ત્યારે ગતરોજ મંગળવારના કાલાવડ માર્કેટિંગ યાર્ડની સામાન્ય સભા મળી જેમાં “સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી” ના પાવન દિવસે સામાન્ય સભામાં પ્રમુખ સ્થાનેથી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવાનું ઠરાવવામાં આવ્યું.
માર્કેટિંગ યાર્ડના ચેરમેન મૌલિકભાઈ નથવાણી, વા.ચેરમેન મુકુંદભાઈ સાવલિયા, સભ્ય રાજેશભાઇ વાદી સહિતના સભ્યો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા. તથા કપાસના પાલ ભરીને આવતા ખેડૂતો માટે વે-બ્રિજનું મુહૂર્ત પણ કરવામાં આવ્યુ હતું,વધુમાં કાલાવડ માર્કેટિંગ યાર્ડના ચેરમેન મૌલિક નથવાણી દ્વારા ખેડૂતો તથા યાર્ડમાં ખેડૂતોની જણસીઓ ભરીને આવતા વાહન માલિકોના હિતમાં એક આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં તા.01/04/2023 થી તા.31/03/2024 સુધીમાં માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતોએ માલ વેચેલ હશે તેઓની તથા ખેડૂતોની જણસીઓ ભરીને આવતા વાહન માલિકોની અકસ્માત વીમા પોલીસી તા.1/4/2024 થી લેવામાં આવશે. આ ઉપરાંત ખેડૂતો માટે જમવાની વ્યવસ્થા માટેની કેન્ટીન ૫ણ લાભ-પાંચમથી શરૂ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હોવાનું મૌલિક નથવાણીએ જણાવ્યું હતું.