Mysamachar.in:જામનગર
જામનગર મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે સવારે યોજવામાં આવી હતી. આ બેઠકમાં એડવાન્સ વેરાઓ ભરનારા કરદાતાઓ માટે રિબેટ યોજના જાહેર કરવામાં આવી છે. કમિટી ચેરમેન મનિષ કટારિયા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, આગામી 10 જૂલાઈથી, એડવાન્સ વેરાઓ ભરનારા કરદાતાઓને જુદી જુદી કેટેગરી પ્રમાણે વેરાઓની રકમમાં રિબેટ આપવામાં આવશે. આ યોજનાનો લાભ 10 જૂલાઈથી 45 દિવસ સુધી મેળવી શકાશે એમ આજે જાહેર કરવામાં આવ્યું છે.