Mysamachar.in-જામનગર:
એક તરફ હાલમાં કોરોના વાયરસની દહેશત ચોતરફ જોવા મળી રહી છે, અને જામનગરનું તંત્ર કોરોનાથી લોકોને કઈ રીતે બચાવી શકાય તેના માટે શક્ય તે તમામ પ્રયાસો જેવા કે લોકજાગૃતિ અંગેની જાણકારી અને તમામ પૂર્વ તૈયારીઓ સતત કલેકટર રવિશંકરના માર્ગદર્શન હેઠળ જીલ્લાની આરોગ્ય સહિતની ટીમો કામ કરી રહી છે, ત્યારે જામનગર જી.જી.હોસ્પીટલમાં ફરજ બજાવતા એક 41 વર્ષીય તબીબનો સ્વાઈનફ્લુનો રીપોર્ટ પોજીટીવ આવ્યા બાદ આઈસોલેશન વોર્ડમાં ડો.ચેટર્જી સહિતની ટીમ દ્વારા તેની સઘન સારવાર કરવામાં આવી રહી છે, અને સ્વાઈનફ્લુ પોજીટીવ ડોક્ટરની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળે છે, કોરોના સ્વાઈનફ્લુ જેવા રોગોથી ભયમાં મુકાવવાના બદલે જો એક પણ લક્ષણ શરીરમાં બતાઈ આવે તો તેની સમયસર સારવાર કરાવવી જોઈએ.