Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લાના ધ્રોલ શહેરના ત્રિકમવાસમાં વસવાટ કરતા પ્રકાશભાઈ લાલજીભાઈ ખીમસુરિયા નામના 32 વર્ષીય વકીલે પોતાના જ ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાનો બનાવ પોલીસ ચોપડે સામે આવ્યો છે, જેના કારણમાં પ્રકાશભાઈ પોતે વકીલાતનો વ્યવસાય કરતા હોઇ અને છેલ્લા આઠેક માસથી ધંધો સારો ચાલતો ના હોઇ તેમજ રૂપીયાની આવક ન હોઇ જેથી ગુમસુમ તથા સતત ચિંતામા રહેતા હોઇ જેથી મૃતક વકીલે પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ લઇ જિંદગી ટુકાવી હોવાનું નોંધવામાં આવ્યું છે.