Mysamachar.in:જામનગર
જામનગરના ખંભાળિયા ગેટ નજીક આવેલ શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદીર ટ્રસ્ટ નામની સંસ્થા આવેલ છે. આ ખીજડા મંદીર નામની સંસ્થામાં સલગ્ન હોસ્ટેલમાંથી 3 સગીરો ભાગી છુટ્યા હોવાનો મામલો પોલીસ મથકે પહોચ્યો છે, સુત્રો જણાવે છે કે ભાગી ગયેલ ત્રણ સગીરો અહી અભ્યાસ અર્થે આવ્યા હતા જે બાદ ત્રણેય સગીરો કોઈપણ કારણોસર ભાગી છૂટ્યા બાદ સંસ્થા દ્વારા આ અંગે સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરાઈ હતી. જે બાદ કાયદાની જોગવાઈઓ મુજબ પોલીસે અજાણ્યા ઈસમો સામે અપહરણની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.